Benefits Of Cardamom: ઈલાયચી છે અનેક રોગો માટે રામબાણ, જાણો તેના સ્વાસ્થ્ય લાભો

|

Apr 18, 2022 | 5:33 PM

Benefits Of Cardamom: ઈલાયચી (Cardamom) એક સુગંધિત મસાલો છે. તેના સેવનથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થાય છે. તેનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ થાય છે.

Benefits Of Cardamom: ઈલાયચી છે અનેક રોગો માટે રામબાણ, જાણો તેના સ્વાસ્થ્ય લાભો
Benefits Of Cardamom (File Photo)

Follow us on

ઈલાયચીએ (Cardamom) ભારતીય રસોડામાં જોવા મળતો સામાન્ય મસાલો છે. ઈલાયચી એક સુગંધિત મસાલો છે. તે ભોજનનો સ્વાદ વધારવાનું કામ કરે છે. તેનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓમાં થાય છે. તેનો ઉપયોગ લોકપ્રિય રીતે મીઠાઈ અને ચામાં થાય છે. તે એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે. તે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ (Cardamom Health Benefits) અને ચેપને દૂર કરવાનું કામ કરે છે. ઈલાયચીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ થાય છે. તે મોઢાની દુર્ગંધને દૂર કરે છે. તે તેના ઘણા સ્વાસ્થ્ય લાભો (Benefits Of Cardamom) માટે જાણીતું છે. આવો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો.

ઈલાયચી ખાવાથી થતાં સ્વાસ્થ્ય લાભ

પાચન સુધારે છે

ઈલાયચીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. તે કબજિયાત, એસિડિટી, ગેસ અને પેટનું ફૂલવું દૂર કરવાનું કામ કરે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે

ઈલાયચી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેમાં ડાયેટરી ફાઈબર હોય છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

શ્વાસની દુર્ગંધ દૂર કરવા

શ્વાસની દુર્ગંધ ઘટાડવા માટે પણ ઈલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે. ઈલાયચીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તે લસણ અથવા ડુંગળીની તીવ્ર ગંધને દૂર કરવામાં પણ મદદ કરે છે.

ઈલાયચી ડિપ્રેશનનો સામનો કરવામાં મદદ કરે છે

ઈલાયચી તેના સુગંધિત ગુણોને કારણે માનસિક તણાવ ઘટાડે છે. ડિપ્રેશનથી પીડિત લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક છે. ઈલાયચીને પાણીમાં ઉકાળો. તેને તમારી ચામાં ઉમેરો. તે મૂડને સુધારવાનું કામ કરે છે. તેનો સ્વાદ અને સુગંધ ઈન્દ્રિયોને શાંત કરવામાં મદદ કરે છે.

ઈલાયચી વજન ઘટાડવામાં મદદ કરે છે

ઈલાયચી મેટાબોલિક રેટ વધારે છે. તે ઝડપથી ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. તે અપચો અને કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે. તે શરીરમાં સંગ્રહિત વધારાની ચરબીને દૂર કરીને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આ રીતે ઈલાયચીનો ઉપયોગ કરો

તમે ઈલાયચીને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરી શકો છો.

ઈલાયચીનો ઉપયોગ માઉથ રિફ્રેશર તરીકે કરી શકાય છે.

રાત્રે સૂતા પહેલા દૂધમાં એક ચપટી ઈલાયચી, હળદર અને કાળા મરીનું સેવન કરી શકાય છે.

ખીર અને હલવો વગેરે જેવી મીઠાઈઓમાં ઈલાયચીનો ઉપયોગ કરી શકાય છે.

તે શરદી અને ફ્લૂના લક્ષણોની સારવાર અને રાહત આપવામાં પણ મદદ કરે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

આ પણ વાંચો: Karnataka: કર્ણાટકમાં ટૂંક સમયમાં કેબિનેટમાં ફેરબદલ થશે સીએમ બોમાઈએ બીજેપી ચીફ નડ્ડાની મુલાકાત બાદ આપ્યા સંકેત

આ પણ વાંચો: દેશના 12 રાજ્યોમાં થઈ શકે છે ‘અંધારું’! કોલસાની અછત હશે વીજળી સંકટનું કારણ, સરકારને અપાઈ ચેતવણી

Next Article