Banana Benefits And Side Effects: હૃદયને મજબૂત કરે છે કેળા, જાણો કેળા ખાવાના ફાયદા અને નુકસાન

|

Jul 24, 2023 | 5:34 PM

કેળામાં વિટામિન અને પોષક તત્વો હોય છે. કેળામાં જોવા મળતા કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન A, C અને B-6, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, સોડિયમ, પોટેશિયમ શરીરને સંપૂર્ણ પોષણ પ્રદાન કરે છે.

Banana Benefits And Side Effects: હૃદયને મજબૂત કરે છે કેળા, જાણો કેળા ખાવાના ફાયદા અને નુકસાન

Follow us on

Ahmedabad: લોકોને સ્વસ્થ રહેવા માટે ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ફળો શરીરને પોષણ આપે છે. ફળોમાં વિટામિન, પ્રોટીન, મિનરલ્સ સહિતના પોષણ ભરપૂર પ્રમાણમાં હોય છે. એવું કહેવાય છે કે રોજ સવારે ખાલી પેટ એક સફરજન ખાવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે, પરંતુ સફરજન સિવાય પણ ઘણા એવા ફળ છે જે ખૂબ જ પૌષ્ટિક હોય છે.

આ પણ વાંચો: Rajiv Dixit Health Tips: રાજીવ દીક્ષિતે કયા લોકો માટે જણાવ્યું ગાયની જગ્યાએ ભેસનું ઘી ખાવુ ફાયદાકારક, વાંચો શું છે ગાય અને ભેંસના ઘી વચ્ચેનો ફરક, જુઓ Video

જો તમે સ્વસ્થ રહેવા માટે ફાયદાકારક આહાર લેવા માંગતા હોવ તો કેળા પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતો દરરોજ એક કેળું ખાવાની ભલામણ કરે છે. કેળામાં વિટામિન અને પોષક તત્વો હોય છે. કેળામાં જોવા મળતા કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન A, C અને B-6, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, સોડિયમ, પોટેશિયમ શરીરને સંપૂર્ણ પોષણ પ્રદાન કરે છે.

PULL-UPS કરતી આ છોકરીના વીડિયોને કારણે મચી બબાલ, જાણો કેમ
ભારતના આ રાજ્યમાં વહે છે વિશ્વની સૌથી વધુ મીઠા જળની નદી
બપોરે કે સાંજે જમ્યા પછી આ 4 ભૂલ ક્યારેય ન કરતાં, જુઓ Video
ગજબ ફાયદા, ચણાના લોટમાં કયું વિટામિન જોવા મળે છે? નિષ્ણાત પાસેથી જાણો
બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે કરો આ ઉપાય
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો

આ ઉપરાંત સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ જેવી કુદરતી શર્કરા પણ જોવા મળે છે. કેળાને સુપરફૂડ કહી શકાય. પરંતુ કેળાના સેવનના કેટલાક ગેરફાયદા પણ છે. આજે અમે તમને કેળા ખાવાના ફાયદા અને નુકસાન વિશે જણાવીશું.

કેળા ખાવાના ફાયદા

  • કેળામાં પોટેશિયમ હોય છે, વર્કઆઉટ પછી નિયમિતપણે કેળા ખાવાથી ફાયદો થઈ શકે છે.
  • કેળામાં વિટામિન B6 જોવા મળે છે, જે મગજની શક્તિ વધારવામાં ફાયદાકારક છે અને તેનું સેવન યાદશક્તિને તેજ બનાવે છે.
  • કેળા વજનને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે.
  • કેળા કબજિયાત અને પેટની સમસ્યાઓમાં રાહત આપે છે.
  • કેળામાં એમિનો એસિડની માત્રા વધુ હોવાને કારણે હોર્મોન્સનું સ્તર યોગ્ય રહે છે અને મૂડ સારો રહે છે. તેનાથી તણાવ ઓછો થાય છે.
  • કેળા હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપે છે.

કેળા ખાવાના ગેરફાયદા

  • કેળામાં કેલરીની માત્રા ઘણી વધારે હોય છે, જેનાથી વજન વધે છે. એટલા માટે જે લોકોનું વજન વધારે છે તેઓએ કેળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
  • કેળામાં પ્રોટીન ઓછું હોય છે, જેના કારણે તેના સેવનથી માંસપેશીઓ નબળી પડી શકે છે.
  • કેળામાં જોવા મળતા ફ્રુક્ટોઝ પેટમાં ગેસની સમસ્યા પેદા કરી શકે છે.
  • જો તમારી કિડની કામ કરતી નથી તો તમારે કેળાનું સેવન ઓછું કરવું જોઈએ. કેળામાં જોવા મળતું પોટેશિયમ કિડની પર દબાણ લાવે છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article