
પાચન સારું થાય છે : જે લોકો કબજિયાતથી પીડાય છે તેમના માટે પણ રોજ સફરજન ખાવાથી તમારી પાચનક્રિયામાં સુધારો થાય છે. તેમાં ફાઈબર મળી આવે છે જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે.

એપલ એનર્જી આપે છે : ઘણા પોષક તત્વો હોવા ઉપરાંત સફરજનમાં ફ્રુક્ટોઝ પણ હોય છે, જે ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે. તેથી તમે ઓફિસમાં નાસ્તા તરીકે સફરજન લઈ શકો છો અથવા સવારે નાસ્તા પછી તેનું સેવન કરી શકો છો. એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સફરજન હંમેશા તેની છાલ સાથે જ ખાવું જોઈએ.

સ્કિન કેર : રોજ એક સફરજન ખાવાથી તમે થોડાં જ દિવસોમાં તેની અસર તમારા ચહેરા પર જોશો. નિયમિતપણે સફરજન ખાવાથી સ્કિન અંદરથી સ્વસ્થ બને છે અને ચહેરા પર કુદરતી ગુલાબી ચમક દેખાય છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક : ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સફરજનનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણી બધી મીઠાશ હોવા છતાં તેને ખાવાથી બ્લડ સુગર લેવલ પર બહુ ઓછી અસર થાય છે. કારણ કે તેમાં અન્ય પોષક તત્વો હોય છે. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. (નોંધ :સ્વાસ્થ્ય સંબંધિત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)