Rajiv Dixit Health Tips: કફથી લઈને અસ્થમાથી બચવા સુધી, રાજીવ દીક્ષિતે જણાવ્યા અદભૂત ફાયદાઓ, જુઓ Video

|

Jun 15, 2023 | 11:09 AM

તજનો સ્વાદ અને સુગંધ ખૂબ જ પસંદ આવે છે. આ જ કારણ છે કે ઘણી વાનગીઓમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. એક ચપટી તજ તમારી વાનગીનો સ્વાદ બદલી શકે છે. તો આવો જાણીએ કે તેને ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.

Rajiv Dixit Health Tips: કફથી લઈને અસ્થમાથી બચવા સુધી, રાજીવ દીક્ષિતે જણાવ્યા અદભૂત ફાયદાઓ, જુઓ Video

Follow us on

તજ એક એવો મસાલો છે, જેનો ઉપયોગ આખી દુનિયામાં થાય છે. એક સમય હતો જ્યારે તેનો ઉપયોગ ચલણ તરીકે થતો હતો. ઉત્તમ સુગંધ અને સ્વાદ સાથેનો આ મસાલો ખોરાકની સાથે કેકમાં ઉમેરવામાં આવે છે. તેના ઝાડના થડની ચામડી કાઢીને તડકામાં સૂકવીને પછી તજની લાકડીઓ બનાવવા માટે ફેરવવામાં આવે છે. રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમને આયુર્વેદથી અનેક બીમારીઓનો રસોડા ઈલાજ જણાવ્યો છે.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips: શું તમે પણ ઠંડુ પાણી પીઓ છો? ઉનાળામાં ઠંડા પાણીના રાજીવ દીક્ષિતે જણાવ્યા ગેરફાયદા, શરીરને પહોંચાડી શકે છે નુકસાન

ખાસ કરીને પુરુષોએ તેમના આહારમાં તજનું સેવન અવશ્ય કરવું જોઈએ. તજમાં રહેલા પોષક તત્વોમાં એવા ઘણા ગુણ હોય છે, જે પુરુષોની ઘણી શારીરિક સમસ્યાઓને દૂર કરી શકે છે. તજનો ઉપયોગ આખા, પાવડરના રૂપમાં ખોરાકમાં કરી શકાય છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

તજમાં પોષક તત્વો, પ્રકારો, અસર

તજના ઘણા પ્રકાર છે, જેમાં લોકો સિલોન તજ વધુ પસંદ કરે છે, કારણ કે તેનો સ્વાદ અલગ છે. તજની અસર વિશે વાત કરીએ તો, તે ગરમ છે, તેથી તેનું સેવન ખૂબ જ મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. તેમાં મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, મેંગેનીઝ, કોપર, ઝિંક, વિટામિન્સ, નિયાસિન, થિયામીન, લાઇકોપીન, એનર્જી, એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ વગેરે જેવા ઘણા પોષક તત્વો હાજર હોય છે. આ તમામ પોષક તત્વોનું શરીર પર અલગ અલગ રીતે મહત્વ અને ફાયદા છે.

 

 

તજ ખાવાથી શું ફાયદા થાય છે ?

એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોથી ભરપૂર

તજ, અન્ય મસાલાઓની જેમ, પોલીફેનોલ્સ નામના છોડના સંયોજનો ધરાવે છે, જે રક્ષણાત્મક, એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ધરાવે છે.

તજ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ છે

તજમાં ઔષધીય ગુણો પણ હોય છે, તેથી જ તેનો ચાઈનીઝ હર્બલ દવાઓમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. તેની સુગંધ તેના ઝાડની ચામડીમાંથી કાઢવામાં આવેલા તેલમાંથી આવે છે, જેને સિનામાલ્ડેહાઇડ કહેવામાં આવે છે. તે બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે.

એન્ટિવાયરલ ગુણધર્મો સાથે સમૃદ્ધ

કેટલાક સંશોધનો સૂચવે છે કે તજમાં ફ્લૂ અને ડેન્ગ્યુ જેવા વાયરસ સામે રક્ષણ આપવાના ગુણો પણ છે.

ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે

એવું માનવામાં આવે છે કે તજ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ઘણા ટ્રાયલ્સથી એ પણ સ્પષ્ટ છે કે તેનું સેવન ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ ઘટાડવાનું કામ કરે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે

સંશોધન સૂચવે છે કે તેનું સેવન બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે. જો કે, આ વિષયમાં વધુ સંશોધનની પણ જરૂર છે.

હૃદય રોગ સામે રક્ષણ આપે છે

માત્ર બ્લડપ્રેશર જ નહીં, તજનું સેવન કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાનું પણ કામ કરે છે. જેની સીધી અસર તમારા હૃદયના સ્વાસ્થ્ય પર પડી શકે છે.

કેન્સર અટકાવી શકે છે

સંશોધન સૂચવે છે કે તજ કેન્સર સામે રક્ષણ આપવા માટે પણ સક્ષમ છે. તે કેન્સર કોશિકાઓના વિકાસને ધીમો પાડે છે, રક્ત વાહિનીઓમાં ગાંઠની રચનાને મર્યાદિત કરે છે અને કેન્સરના કોષોને મારી નાખે છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગે સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:00 am, Mon, 15 May 23

Next Article