Lifestyle Habits : જાણો જીવનશૈલીની 5 આદતો, જે ધૂમ્રપાન જેટલી ખતરનાક સાબિત થઈ શકે છે

|

Aug 10, 2021 | 1:56 PM

આપણા આધુનિક જીવનમાં, આપણી પાસે એવી ટેવો છે જેનું પાલન કરવું આપણને સારું લાગે છે પરંતુ વાસ્તવમાં તેનાથી આપણું સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ ધીમે ધીમે ઘટી શકે છે.

Lifestyle Habits : જાણો જીવનશૈલીની 5 આદતો, જે ધૂમ્રપાન જેટલી ખતરનાક સાબિત થઈ શકે છે
જાણો જીવનશૈલીની 5 આદતો

Follow us on

Lifestyle Habits : આપણા આધુનિક જીવનમાં, આપણી પાસે એવી ટેવો છે જેનું પાલન કરવું આપણને સારું લાગે છે પરંતુ વાસ્તવમાં આપણું સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે છે. નિષ્ણાતોએ આ 5 આદતો માટે કહ્યું છે જે આપણા શરીર માટે ધૂમ્રપાન (Smoking) જેટલી જ ઝેરી અને ખતરનાક બની શકે છે.

અપૂરતી ઉંઘ

શું તમે ક્યારેય નોંધ્યું છે કે, યોગ્ય રીતે ઉંધ ન લેવાથી બીજા દિવસે તમારો સ્વભાવ ચીડિયો બને છે. ઉંઘને નજર અંદાજ કરવાની આ એક આડઅસર છે. હેલ્થ પ્રોફેશનલ્સના મતે, આપણે દરરોજ ઓછામાં ઓછી 6 કલાકની ઉંઘ લેવી જોઈએ. યોગ્ય રીતે ઉંઘ ન લેવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ, શ્વસન અને પાચનતંત્રને નકારાત્મક અસર કરે છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

વધુ પડતા પ્રોટીનનો આહાર 

પનીર અને માંસ જેવા પ્રોટીનથી ભરપુર ખોરાકનો વધુ પડતું સેવન IGF1 નામના હોર્મોનને કારણે કેન્સરના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે. જે ધૂમ્રપાન (Smoking) સમાન છે. આવા પ્રોટીનના વધુ પડતા સેવનથી બચવા માટે તમારા આહારમાં કઠોળનો સમાવેશ કરો.

લાંબા સમય સુધી બેસી રહેવું

ઓફિસમાં જાવ ત્યારે આખો દિવસ તમારી ખુરશી પર બેસી રહેવું ધૂમ્રપાન (Smoking) જેટલું જ ખતરનાક છે. લાંબા સમય સુધી બેસી રહેવું, પછી ભલે તે કામ હોય કે ડ્રાઇવિંગ હોય, ફેફસા, સ્તન અને આંતરડા જેવા વિવિધ કેન્સર સાથે જોડાયેલ છે. દર એક કે બે કલાકની આસપાસ ચાલો અને પછી ફરી કામ શરુ કરો.

પોતાની જાતને અલગ રાખવી

જેટલા સમયની જરૂર છે, તેમ છતાં તમારી જાતને એકાંતમાં રાખવી યોગ્ય નથી. જેમ જેમ COVID-19 આપણા જીવનમાં પ્રવેશી ગયું છે અને સામાન્ય જીવનની વ્યાખ્યા બદલી છે, સોશિયલ ડિસ્ટન્સની ભલામણ કરવામાં આવે છે પરંતુ સામાજિક અંતરની નહીં. એકલા રહેવું યોગ્ય નથી.

આ એક બીજી વસ્તુ છે જેના કારણે વ્યક્તિ હૃદય રોગથી પીડિત થઈ શકે છે. એટલું જ નહીં તે વધારાની બીમારીઓ જેવી કે ચિંતા, હાનિકારક વ્યસનોને પણ આમંત્રણ આપે છે. કેટલાક સારા મિત્રો બનાવવાની કોશિશ કરો જે કામ હોવા છતા તમારી વાત સાંભળે.

ઘરની અંદર બેસી રહેવું

વિટામિન ડી (Vitamin D) એ આપણા શરીરને સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વોમાંનું એક છે. જ્યારે તેને રોગપ્રતિકારક શક્તિ બનાવવાની અથવા ફરીથી મેળવવાની જરૂર પડે છે અને સૂર્ય તેનો મોટો સ્રોત છે। તેથી 24/7 ઘરમાં બેસી રહેવાથી વિટામિન-ડી (Vitamin D) ની ઉણપ આવી શકે છે. જેનાથી COVID-19 સહિતના રોગોનું જોખમ વધી શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચો : Fake Paneer: શું તમે ખાતા નથીને નકલી પનીર? આ રીતે જાણો પનીર અસલી છે કે નકલી

Next Article