અંજીર સ્વાદમાં એટલું મીઠું હોય છે. જેને વૃધ્ધોથી લઈને બાળકો બધા જ પસંદ કરતાં હોય છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ તેના ઘણા ફાયદા છે. આવો જાણીએ તેના ફાયદાઓ.
1). સૂકા અંજીરને પાણીમાં ઉકાળીને તેની પેસ્ટ બનાવીને ગળાના સોજા કે ગાંઠ પર બાંધવામાં આવે તો ઘણો ફાયદો થાય છે.
2). સાધારણ કબજિયાતની સમસ્યામાં સૂકા અંજીરને દૂધમાં ઉકાળીને પીવાથી સવારે રાહત થાય છે.
3). તાજા અંજીર ખાઈને ઉપરથી દૂધ પીવાથી શરીરને ઉર્જા મળે છે.
4). લોહીની ખરાબીમાં સૂકા અંજીરને દૂધ સાથે ઉકાળીને પીવાથી લોહીના બધા વિકાર દૂર થાય છે.
5). ડાયાબિટીસમાં અન્ય ફળોની જગ્યાએ અંજીરનો ઉપયોગ ઉત્તમ મનાય છે.
6). કોઈપણ પ્રકારનો બાહ્ય પદાર્થ જો પેટમાં જતો રહે તો તેને કાઢવા માટે ભરપૂર માત્રામાં અંજીરનું સેવન કરવું જોઈએ.
7). અસ્થમાના દર્દીઓએ સવારમાં સૂકા અંજીર ખાવા જોઈએ.
8). ટીબીમાં કફ રોકવા માટે તાજા અંજીર ખાવા જોઈએ.
9). શ્વેતપ્રદર રોકવા માટે પણ અંજીર ખાવું જોઈએ.
10). ખાસ કરીને પેટની બીમારીના કારણે આવેલા તાવને દૂર કરવા અંજીર ખાવા જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 11:25 am, Wed, 14 October 20