રાજ્ય સરકાર કુપોષણ સામે લડવા અનેક પ્રયાસો કરી રહી છે. પરંતુ કુપોષણને ડામવામાં સરકાર નિષ્ફળ રહી છે. ખાસ કરીને સુરત જેવા શહેરોમાં કુપોષણનો શિકાર બનેલા બાળકોની સંખ્યામાં ગતવર્ષ કરતા વધારો થયો છે. સરકારી ચોપડે નોંધાયેલા આંકડા સરકારની ચિંતા વધારનારા છે.
આ પણ વાંચોઃ જૂનાગઢ કેશોદના માર્કેટયાર્ડમાં 23 હજાર ગુણીઓનો ભરાવો, ગોડાઉનની અવ્યવસ્થાના કારણે વિરોધ
વર્ષ 2018-19માં અતિકુપોષિત બાળોકની સંખ્યા 1484 જેટલી હતી. જ્યારે ચાલુ વર્ષે આ આંકડો 3084 પર પહોંચ્યો છે. આવા સંજોગોમાં રાજ્ય સરકારના પોષણ અભિયાનને વેગ આપવા સુરત પહોંચેલા કૃષિપ્રધાન આર.સી.ફળદુએ પણ કુપોષિત બાળકોના વધી રહેલા આંક મુદ્દે ચિંતા વ્યક્ત કરી. સાથે જ સરકાર આ દિશામાં ઠોસ કામગીરી કરી રહી હોવાનો દાવો કર્યો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો