અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં, બીજા ફેઝના સ્ટ્રકચરમાં યુ ગર્ડર લોન્ચ કરાયું 

|

Nov 13, 2021 | 5:41 PM

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-ર એ વાયડક્ટના કન્સ્ટ્રકશન માટે પ્રિકાસ્ટ પિયર કેપ અને યુ-ગર્ડર મેથોડોલોજી અપનાવી છે. જે મેટ્રો પ્રોજેકટ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં મદદરૂપ થશે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં, બીજા ફેઝના સ્ટ્રકચરમાં યુ ગર્ડર લોન્ચ કરાયું 
Work on Ahmedabad Metro Rail Project in full swing U-girder launched in second phase structure (File Photo)

Follow us on

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ અમદાવાદ મેટ્રો રેલ(Ahmedabad Metro Rail)  પ્રોજેકટના (મોટેરાથી મહાત્મા મંદિર, ગાંધીનગર વચ્ચેના) પિઅર કપની ઉપરના સુપર સ્ટ્રકચરમાં પ્રથમ ‘યુ’ ગર્ડર (U-girder_ સફળતાપૂર્વક લોન્ચ કરાયુ છે. જેમાં પ્રત્યેક ‘યુ’ ગર્ડર ર૮ મીટર લંબાઇ અને ૧૬૦ મેટ્રીક ટન વજનનું છે. અને પ૦૦ મેટ્રીક ટન ક્ષમતાની બે હાઇડ્રોલીક ક્રેનનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-ર (Phase 2) એ વાયડક્ટના કન્સ્ટ્રકશન માટે પ્રિકાસ્ટ પિયર કેપ અને યુ-ગર્ડર મેથોડોલોજી અપનાવી છે. જે મેટ્રો પ્રોજેકટ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં મદદરૂપ થશે.

અમદાવાદ(Ahmedabad)શહેરને ગાંધીનગરના મહાત્મા મંદિરને જોડતા મેટ્રો રેલ(Metro Rail )ના ફેઝની કામગીરી શરૂ થઈ ચૂકી છે. જેમાં મેટ્રોના મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર રૂટ સુધીના 28 કિલોમીટરના પર 20 એલિવેટેડ સ્ટેશન હશે. તેમજ સમગ્ર રૂટ એલિવેટેડ કોરિડોરથી બનશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી તેમજ જીએનએલયુથી પીડીપીયુ સુધીના બીજા તબક્કામાં 28.26 કિલોમીટર રૂટની કામગીરી શરૂ કરી છે. જેમાં હાલ મોટેરાથી પીડીપીયુ સુધી કામગીરી પૂરજોશમાં  ચાલી રહી છે.

જેમાં એલિવેટેડ કોરિડોર તેમજ 20 સ્ટેશન તૈયાર કરવાની કામગીરી બે તબક્કામાં હાથ ધરાશે. જ્યારે હાલ મેટ્રોના ફેઝ-1માં એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધીના નોર્થ સાઉથ કોરિડોરને લંબાવીને ફેઝ ટુમાં મહાત્મા મંદિર સુધી કરવામાં આવ્યો છે.

આ અંગે મેટ્રોના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફેઝ-2 મહત્વના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ અને મહત્વના અન્ય સ્થળોને કનેક્ટ કરશે.

જેમ કે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ઇન્ફોસિટી, ગિફ્ટ સિટી, સચિવાલય, અક્ષરધામ મંદિર અને છેલ્લે મહાત્મા મંદિર અંતિમ સ્ટેશન હશે. જે ગાંધીનગર રેલવે સ્ટેશનથી ખુબ જ નજીક છે. હાલમાં જ પીએમ મોદીએ અત્ય આધુનિક ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખુલ્લુ મૂક્યું હતું.

મેટ્રો રેલના સેકન્ડ ફેઝની વાત કરીએ તો રૂપિયા 5523 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર થવાનો છે. જેમાં એક લાઇન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ( PDPU)અને ગિફ્ટ સિટી(Gift City) ને જોડશે. જ્યારે અમદાવાદ ગાંધીનગર રુટ પર 20 જેટલા એલિવેટેડ સ્ટેશન હશે.

આ પણ વાંચો : સુરત : સુમુલ ડેરીમાં કામદારોનો વિરોધ, મૃતકના પરિવારજનોની માગણી સંતોષતા ધરણાં સમેટાયા

આ પણ વાંચો : મુંબઈ બનાવશે રેકોર્ડ ! આજે પાત્રતા ધરાવતા 100 ટકા લોકોને મળી જશે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

Published On - 4:31 pm, Sat, 13 November 21

Next Article