Ahmedabad : આજે ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા PM ટ્રેનને ફ્લેગ ઓફ કરશે

આજે ગુજરાતને વધુ એક ટ્રેન મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર -અમદાવાદ, ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ-બેંગ્લોર, વિજયવાડા -ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કાસરગોડ તિરૂવનંતપુરમ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને આજે લીલીઝંડી મુકવામાં આવશે. આજે વડાપ્રધાન નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે.

Ahmedabad : આજે ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા PM ટ્રેનને ફ્લેગ ઓફ કરશે
Ahmedabad
| Edited By: | Updated on: Sep 24, 2023 | 8:54 AM

Vande Bharat Express : આજે ગુજરાતને વધુ એક ટ્રેન મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર –અમદાવાદ, ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ-બેંગ્લોર, વિજયવાડા -ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કાસરગોડ તિરૂવનંતપુરમ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને આજે લીલીઝંડી મુકવામાં આવશે. આજે વડાપ્રધાન નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે.

આ પણ વાંચો : Ahmedabad news : ‘કર્ણાવતી’ શહેરમાં બન્યા ‘અવનવા સર્કલો’, જે રસ્તાની સુંદરતા જ નહીં પણ સામાજીક મેસેજ પણ આપે છે-જુઓ Photos

પશ્ચિમ રેલવે જામનગર-અમદાવાદ સ્ટેશન વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રિક્વાઇનિંગ અને આરામદાયક બેઠકો, સ્લાઇડિંગ દરવાજા, પર્સનલ રીડિંગ લાઇટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ્સ, સીસીટીવી કેમેરા વગેરે જેવી આધુનિક સુવિધાઓથી આ સુસજ્જ ટ્રેન મુસાફરોને વિશ્વ કક્ષાની આરામ અને સુવિધાઓ પ્રદાન કરશે.

અઠવાડિયામાં 6 દિવસ ચાલશે ટ્રેન

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 22925 અમદાવાદ -જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે.

આ ટ્રેન અમદાવાદ થી 17.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.35 કલાકે જામનગર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ટ્રેન જામનગરથી સવારે 5.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને બુધવારે નહીં ચાલે.

આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. ટ્રેન નંબર 22925 અને 22926 માટે બુકિંગ 24 સપ્ટેમ્બર, 2023 થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે.

સુમિત ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવશે. ટ્રેન નંબર 20979/20980 ઉદયપુર સિટી-જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ પશ્ચિમ રેલવેના ચિત્તોડગઢ સ્ટેશન પર રોકાશે. ઉદયપુર સિટી-જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે. ટ્રેન નંબર 20979 ઉદયપુર સિટી -જયપુર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 9.25 કલાકે ચિતોડગઢ પહોંચશે અને 9.35 કલાકે ઉપડશે.એ જ રીતે, ટ્રેન નંબર 20980 જયપુર-ઉદયપુર સિટી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 19.45 કલાકે ચિતોડગઢ પહોંચશે અને 19.55 કલાકે ઉપડશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો