VADODRA : શહેરના ત્રણ વોર્ડમાં પીવાના ચોખ્ખા પાણીમાં ગટરનું પાણી ભળ્યું, દુષિત પાણીથી અનેક લોકોની તબિયત બગડી

|

Aug 03, 2021 | 2:18 PM

વાડી અને નિઝામપુરા વિસ્તારમાં ઝાડા-ઉલટીથી 2 લોકોના મૃત્યુ પામ્યા છે અને સંખ્યાબંધ લોકો દૂષિત પાણીથી તબિયત બગડતા સારવાર લઈ રહ્યાં છે.આમ છતાં વડોદરા મનપાનું તંત્ર રોગચાળો વકર્યાની સ્થિતિને સ્વીકારતું નથી.

VADODARA: શહેરમાં પાણીજાન્ય રોગચાળો વધ્યો છે. શહેરના 3 વોર્ડમાં 52 નમૂનામાં ગટરનું પાણી મળી આવ્યું છે.વડોદરા પાલિકાની હેલ્થ લેબના રિપોર્ટમાં જ પીવાના ચોખ્ખા પાણીમાં ગટરનું પાણી ભળ્યાની વિગત સામે આવી છે.વાડી અને નિઝામપુરા વિસ્તારમાં ઝાડા-ઉલટીથી 2 લોકોના મૃત્યુ પામ્યા છે અને સંખ્યાબંધ લોકો દૂષિત પાણીથી તબિયત બગડતા સારવાર લઈ રહ્યાં છે.આમ છતાં વડોદરા મનપાનું તંત્ર રોગચાળો વકર્યાની સ્થિતિને સ્વીકારતું નથી.

જનતાને મળતા દૂષિત પાણી મુદ્દે પાણી-પુરવઠા વિભાગ અને વોર્ડ કચેરીએ સામ-સામી આક્ષેપબાજી કરી.નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવું એ પાલિકાની જવાબદારી છે, ત્યારે ચોખ્ખા પાણીની લાઈનમાં ગટરના પાણી કેમ ભળ્યાં ? શું ગેરકાયદે જોડાણ થયા છે? દૂષિત પાણી મુદ્દે સ્થાનિકોની ફરિયાદ બાદ પણ અધિકારીઓએ કોઈ કાર્યવાહી કેમ ન કરી? ચોમાસામા માંદા પડવાનો ખતરો વધુ હોય છે, ત્યારે પાલિકાએ દૂષિત પાણીની મળેલી ફરિયાદો પર કોઈ ધ્યાન કેમ ન આપ્યું? શું મનપાના જુદા-જુદા વિભાગ અને અધિકારીઓએ એકબીજાને ખો આપતા રોગચાળો વકર્યો છે.

આ પણ વાંચો : AHMEDABAD : સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને ક્યાંક સગવડતા મળી, તો ક્યાંક અગવડતાનો સામનો કરવો પડ્યો

આ પણ વાંચો : AHMEDABAD : શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં ગયા વર્ષની સરખામણીએ મોટો વધારો

Next Video