Vadodara : ‘શૈશવ’ માં શિશુ પર અત્યાચાર ! બાળકોના વાલીઓએ શાળા સંચાલકો સામે નોંધાવી ફરિયાદ

|

Jun 26, 2022 | 10:08 AM

કેટલાક વાલીઓએ (Student parents) સામાન્ય બાબતોમાં બાળકોને માર મારવામાં આવતો હોવાનો સંચાલકો પર આક્ષેપ કર્યો છે. વાલીઓને નર્સરીના 3 બાળકોના ચહેરા તથા હાથ પર ઇજાના નિશાન પણ જોવા મળ્યા છે.

Vadodara : શૈશવ માં શિશુ પર અત્યાચાર ! બાળકોના વાલીઓએ શાળા સંચાલકો સામે નોંધાવી ફરિયાદ
Shaishav school (File Photo)

Follow us on

વડોદરાની(vadodara) શૈશવ શાળા(Shaishav school)  ફરી એકવાર વિવાદોમાં સપડાઇ છે. કેટલાક વાલીઓએ(Student parents) સામાન્ય બાબતોમાં બાળકોને માર મારવામાં આવતો હોવાનો સંચાલકો પર આક્ષેપ કર્યો છે. વાલીઓને નર્સરીના 3 બાળકોના ચહેરા તથા હાથ પર ઇજાના નિશાન પણ જોવા મળ્યા છે. હવે આ સમગ્ર મામલે વાલીઓએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં (Vadodara Police)  ગુનો નોંધવા માટે અરજી આપી છે. તેમજ સંચાલકો સામે વહેલામાં વહેલી તકે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માગણી કરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શાળા સંચાલકોએ વાલીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા

વાલીઓએ શાળા સંચાલકો પર આક્ષેપ કરતા જણાવ્યુ કે, બાળકો પર અત્યાચાર થઈ રહ્યા છે, તે અંગે અમે CCTV જોવાનું કહેતા તે બાબાતે પણ મનાઈ કરી હતી.હાલ શાળા સંચાલકો શિક્ષકોને છાવરવાનો પ્રયત્ન કરતા હોય તેવુ લાગી રહ્યુ છે.તો બીજી તરફ શૈશવ શાળાના સંચાલકોએ વાલીઓના આક્ષેપને ખોટા ઠેરવતા કહ્યું કે, વાલીઓ કોઇ રજૂઆત કરવા આવ્યા જ નથી. ઉપરાંત શાળા સંચાલકો વાલીઓ સાથે વન ટુ વન વાત કરવા તૈયાર હતી. તેમજ CCTV ના આક્ષેપોને પણ પાયાવિહોણા ગણાવ્યા છે.

Published On - 9:52 am, Sun, 26 June 22

Next Article