Gandhinagar : પત્ની ગુમ થવાના કેસમાં વડોદરા પીઆઇએ માર્યો યૂ-ટર્ન, નાર્કો ટેસ્ટ કરાવવાનો કર્યો ઇન્કાર

|

Jul 22, 2021 | 8:49 PM

જો કે પીઆઇ અજય દેસાઇએ શારીરિક તકલીફ ગણાવીને નાર્કો ટેસ્ટ કરાવવાનો ઇન્કાર કર્યો હતો. આ પૂર્વે પી.આઈ.અજય દેસાઈએ કોર્ટ સમક્ષ પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવાની સંમતિ દર્શાવી હતી

વડોદરા(vadodara)  એસઓજી પીઆઇ અજય દેસાઇના નાર્કો ટેસ્ટને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પત્ની ગુમ થવાના કેસમાં ગાંધીનગર એફએસએલ(FSL)  ખાતે ગુરુવારે લાવવામાં આવ્યા હતા. જો કે પીઆઇ અજય દેસાઇએ શારીરિક તકલીફ ગણાવીને નાર્કો ટેસ્ટ(Narco Test) કરાવવાનો ઇન્કાર કર્યો હતો. આ પૂર્વે પીઆઇ અજય દેસાઇએ અદાલત સમક્ષ નાર્કો ટેસ્ટ કરાવવાની સંમતિ દર્શાવી હતી.. જેની બાદ ગુરુવારે એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ કરવાની ના પાડી હતી. તેથી  તેમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : Love Story: Vikrant Massey જેવી સિમ્પલ છે તેમની મંગેતર શીતલ, આ રીતે થઈ હતી પ્રેમની શરૂઆત

આ પણ વાંચો : વૈષ્ણો દેવી સુધી જતી વંદે ભારત એક્સપ્રેસ ફરીથી કરાઈ શરૂ, આ વિશે જાણો તમામ વિગતો

Published On - 7:43 pm, Thu, 22 July 21

Next Video