અમદાવાદની ખાનગી કંપનીને પુરાતત્વ વિભાગે એનઓસી આપવાના મુદ્દે સીબીઆઇ એકશનમાં, નવ સ્થળે દરોડા પાડયા

|

Oct 13, 2021 | 9:30 AM

સીબીઆઇએ સામુહિક દરોડા દરમિયાન 26.75 લાખની રોકડ રકમ ચાંદીની ઈંટો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. CBI એ તપાસ કરી રહી છે કે ખાનગી કંપનીને કેવી રીતે NOC આપી

અમદાવાદની ખાનગી કંપનીને પુરાતત્વ વિભાગે એનઓસી આપવાના મુદ્દે સીબીઆઇ એકશનમાં, નવ સ્થળે દરોડા પાડયા
CBI raids 9 places in Ahmedabad Vadodara MP New Delhi Karnataka in connection with illegal NOC By Archeology Department

Follow us on

અમદાવાદની ખાનગી કંપનીને નિયમને નેવે મૂકી બાંધકામ માટે NOC આપવાના મામલે CBI એક્શનમાં આવી છે. આ મામલે પુરાતત્વ ખાતાના અધિકારીઓ અને ખાનગી કંપનીના સંચાલકો સહિત 9 સ્થળો પર CBIના દરોડા પાડયા છે. જેમાં અમદાવાદ, વડોદરા, મધ્યપ્રદેશ, નવી દિલ્હી અને કર્ણાટકમાં રેડ પાડવામાં આવી છે.

આ સામુહિક દરોડા દરમિયાન 26.75 લાખની રોકડ રકમ ચાંદીની ઈંટો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. CBI એ તપાસ કરી રહી છે કે ખાનગી કંપનીને કેવી રીતે NOC આપી. જ્યારે  બીજી તરફ CBIએ પુરાતત્વ ખાતાના 4 અધિકારીઓ સહિત 6 સામે FIR દાખલ કરી તપાસ આરંભી છે.

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં 9 દિવસમાં ડેન્ગ્યુના 170 અને ચિકનગુનિયાના 69 કેસ નોંધાયા

આ પણ વાંચો: જાણો અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યા કેવો છે વધારો ઘટાડો 

Next Video