કોડીનાર-તળાજા નગરપાલિકાને વિકાસકાર્યો માટે શહેરી વિકાસ યોજના હેઠળ કુલ રૂ. 6.43 કરોડની કરાઈ ફાળવણી

|

Feb 23, 2022 | 5:40 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરો-મહાનગરોમાં આગવી ઓળખના કામો માટે ગ્રાન્ટ-ભંડોળ આપવાનો અભિગમ અપનાવ્યો છે. આવા આગવી ઓળખના કામોમાં નગર સુખાકારી અને જનહિત કાર્યો દ્વારા જે તે નગરની આગવી વિશેષ ઓળખ ઉભી કરવાના કામો હાથ ધરાય છે.

કોડીનાર-તળાજા નગરપાલિકાને વિકાસકાર્યો માટે શહેરી વિકાસ યોજના હેઠળ કુલ રૂ. 6.43 કરોડની કરાઈ ફાળવણી
Under the urban development scheme, a total of Rs. CM's in-principle approval for allotment of Rs 6.43 crore (ફાઇલ)

Follow us on

Gandhinagar: રાજ્યની બે નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં (Urban development plan)આગવી ઓળખના કામો માટે કુલ રૂ. ૬.૪૩ કરોડની ફાળવણીની મુખ્યમંત્રીની (CM) સૈદ્ધાંતિક મંજૂરી, (Theoretical approval)કોડીનારમાં શિંગોડા નદી પર રિવરફ્રન્ટના કામો માટે રૂ. ૩.રપ કરોડ , તળાજામાં આધુનિક ટાઉનહોલ નિર્માણ માટે રૂ. ૩.૧૮ કરોડ

૨૦૨૧-૨૨ના વર્ષમાં રાજ્યની ૮ નગરપાલિકાઓને રૂ. ૧૬ કરોડ ૯૪ લાખના આગવી ઓળખના કામો માટેની સૈદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરો-મહાનગરોમાં આગવી ઓળખના કામો માટે ગ્રાન્ટ-ભંડોળ આપવાનો અભિગમ અપનાવ્યો છે. આવા આગવી ઓળખના કામોમાં નગર સુખાકારી અને જનહિત કાર્યો દ્વારા જે તે નગરની આગવી વિશેષ ઓળખ ઉભી કરવાના કામો હાથ ધરાય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્ય સરકાર નગરો-મહાનગરોમાં આગવી ઓળખના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે રકમ ફાળવે છે. ભૂપેન્દ્ર પટેલે આવા આગવી ઓળખના કામો અન્વયે કોડીનાર નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી શિંગોડા નદી પર રિવરફ્રન્ટના કામ માટેની રૂ. ૩ કરોડ રપ લાખની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

ભૂપેન્દ્ર પટેલે આ કામો અંગેના રજૂ થયેલા ફિઝીબીલીટી રિપોર્ટ અને ગેપ એનાલીસીસ સ્ટડી રિપોર્ટ તેમજ જનરલ રિપોર્ટના અનુસંધાને આ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ કોડીનાર નગરપાલિકા ઉપરાંત તળાજા નગરપાલિકામાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખના કામોમાં આધુનિક ટાઉનહોલના નિર્માણ માટે રૂ. ૩ કરોડ ૧૮ લાખના કામોની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આમ, રાજ્યની વધુ બે નગરપાલિકાઓ કોડીનાર અને તળાજામાં કુલ ૬.૪૩ કરોડ રૂપિયાના કામોની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખના કામો માટે મંજૂરી આપવામાં આવી છે. ૨૦૨૧-૨૨ના વર્ષમાં અત્યાર સુધીમાં રાજ્યની ૮ નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખના કામો માટે કુલ રૂ. ૧૬.૯૪ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ છે.

આ પણ વાંચો : Bhavnagar : માધવ કોપરના ચેરમેન નિલેશ પટેલની એટીએસએ ધરપકડ કરી, 762 કરોડના જીએસટી કૌભાંડમાં હતા ફરાર

આ પણ વાંચો : Zaghadiya: અકસ્માતમાં 3 મોતની ઘટનામાં મનસુખ વસાવાનો વધુ એક વીડિયો સામે આવ્યો, તેણે કહ્યું મને પણ રેતી માફિયાથી ભય છે

Published On - 5:28 pm, Wed, 23 February 22

Next Article