Surat : મોટા વરાછામાં 4 વર્ષ પહેલા 1.58 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું શાકભાજી માર્કેટ ધૂળ ખાઈ રહ્યું છે

બજેટ સંદર્ભે યોજાયેલી સામાન્ય સભામાં AAP કાઉન્સિલર રાજેશ મોરડિયાએ શાક માર્કેટનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે આ પ્રશ્નનો જવાબ અધિકારી અને શાસક બંને પાસે નહોતો. જ્યારે પેનલના શાસકોને આ વાતની જાણ ન હોવાથી અધિકારીઓ પણ મૌન સેવી રહ્યા હતા.

Surat : મોટા વરાછામાં 4 વર્ષ પહેલા 1.58 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું શાકભાજી માર્કેટ ધૂળ ખાઈ રહ્યું છે
Vegetable market in Surat (File Image )
| Edited By: | Updated on: Mar 10, 2022 | 5:25 PM

આ દિવસોમાં સુરત (Surat )મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાની આવક(Income ) વધે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલા લેવાયેલા નિર્ણયને કારણે પણ નુકશાની વેઠવી પડી રહી છે. મહાનગરપાલિકા દ્વારા મોટા વરાછા ઉતરાણ ફાઇનલ પ્લોટ નં.166 આર 15 ખાતે શાક માર્કેટ બનાવવાનું નક્કી કરાયું હતું. જેનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. મોટા વરાછા મેઈન રોડ પર આવેલી કરોડોની જમીનમાં શાક માર્કેટનું બાંધકામ પણ શરૂ કરાયું હતું. પરંતુ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કરોડોનો ખર્ચ પોકળ સાબિત થઇ રહ્યો છે. કારણ કે આજે અહીં કોઈ વિક્રેતા પોતાનો માલ વેચવા આવતા નથી અને શાક માર્કેટમાં ધૂળ ભેગી થઈ રહી છે.

ટીપી 24 પર 30 માર્ચ 2020 ના રોજ દરખાસ્ત નંબર 37 હેઠળ 1 કરોડ 33 લાખ 85 હજાર રૂપિયા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ જમીન પર કોઈપણ પ્રકારનું કામ શરૂ થઈ શક્યું નથી. આજે ત્યાં માત્ર MNPનું બેનર છે. આના પર શાકભાજી માર્કેટ શરૂ થયું નથી. મોટા વરાછા ઉતરાણમાં વેરાન પડેલ શાકભાજી માર્કેટ, સેટેલાઇટ રોડ પરનું શાક માર્કેટ શરૂ થઇ શક્યું નથી.

રિવર ફ્રન્ટ રોડ પર 82 લાખનો મંજૂર રોડ ચાર વર્ષમાં પણ બની શક્યો નથી

રિવરવ્યુ હાઈટથી પીપી સવાણી ફાર્મ સુધી ટીપી માર્ગ કાર્પેટીંગ, ડિવાઈડર મેકિંગ, લેન માર્કિંગ, રોડ સ્ટડ અને ટ્રાફિક સિગ્નલ ફીટીંગનું કામ 13 નવેમ્બર 2017 82 લાખ 40 હજાર રૂપિયા મંજૂર કરાયા. આ દરખાસ્ત પસાર થયાને પણ ચાર વર્ષ વીતી ગયા છે. પરંતુ હજુ સુધી તેનું કામ શરૂ થયું નથી. સ્થાનિક કાઉન્સિલરે બિલ્ડર પર આ રોડ પર અતિક્રમણ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

બજેટની સામાન્ય સભામાં પ્રશ્ન ઉઠાવાયો હતો

બજેટ સંદર્ભે યોજાયેલી સામાન્ય સભામાં AAP કાઉન્સિલર રાજેશ મોરડિયાએ શાક માર્કેટનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે આ પ્રશ્નનો જવાબ અધિકારી અને શાસક બંને પાસે નહોતો. જ્યારે પેનલના શાસકોને આ વાતની જાણ ન હોવાથી અધિકારીઓ પણ મૌન સેવી રહ્યા હતા.

શાકભાજી વેચવા માટે કોઈ આવતું નથી

કાઉન્સિલર રાજેશ મોરડિયાએ જણાવ્યું કે આ બધું મહાનગરપાલિકાના ખોટા વહીવટનું પરિણામ છે. મુખ્ય માર્ગની બાજુમાં આવેલ વિસ્તારમાં રહેઠાણ બનાવવામાં આવેલ નથી. અહીં કોઈ પોતાનો સામાન વેચવા આવતું નથી, કારણ કે ગૃહિણીઓ અહીં શાકભાજી ખરીદવા આવતી નથી. અહીં ફળ વેચનારાઓનું અતિક્રમણ છે. તેમને આ વેન્ડિંગ માર્કેટમાં લાવવાની માંગણી કરશે.

આ પણ વાંચો :

Surat: સુરત પોલીસની ડોગ સ્ક્વોડમાં ફરજ બજાવતા ‘પ્રિન્સ’ અને ‘અરુણા’ નિવૃત્ત : સુરત પોલીસે યોજ્યો વિદાય સમારંભ

Surat: કાપડની દુકાનમાંથી 2.20 લાખ રૂપિયાની ચોરી કરનાર બે આરોપી પકડાયા, 71 હજારની મત્તા કબજે કરાઈ

Follow Us
Loading...
Unable to load recommendations.