Surat: તલાટીની પરીક્ષાને લઈને એસટી વિભાગ એક્સ્ટ્રા બસો દોડાવશે, કંટ્રોલ રૂમ નંબર જાહેર કરાયો

|

May 05, 2023 | 4:36 PM

સુરત એસટી વિભાગીય નિયામક પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે 7 મેના રોજ તલાટીની પરીક્ષા અન્વયે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતથી અમદાવાદ, વડોદરા, નવસારી, વલસાડ, આણંદ,ભરૂચ સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવાશે. આ ઉપરાંત આવવા અને જવા માટે ઓનલાઇન બુકિંગ પણ શરુ કરી દેવામાં આવ્યું છે.

Surat: તલાટીની પરીક્ષાને લઈને એસટી વિભાગ એક્સ્ટ્રા બસો દોડાવશે, કંટ્રોલ રૂમ નંબર જાહેર કરાયો
Surat ST Department Extra Buses

Follow us on

ગુજરાતમાં 7 મે ના રોજ તલાટીની પરીક્ષા યોજનાર છે ત્યારે સુરતમાં એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે. વિદ્યાર્થીઓને કોઈ હાલાકી ન પડે તે માટે એક કંટ્રોલ રૂમનો 63599 – 18746 નબર પણ જાહેર કરવામાં આવ્યો છે આ ઉપરાંત ઓનલાઈન બુકિંગની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. જો વધુ બસોની જરૂર જણાશે તો વધુ બસો પણ સુરત એસટી વિભાગ દ્વારા દોડાવવામાં આવશે.એસટી વિભાગ દ્વારા વાર તહેવાર પર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે આ ઉપરાંત સરકારી પરીક્ષા દરમ્યાન પણ વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તે માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. ત્યારે 7 મે ના રોજ એટલે કે રવિવારના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજનાર છે. જેને લઈને સુરત એસટી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

7 તારીખે 120 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે

સુરતમાંથી વડોદરા, અમદાવાદ, નવસારી, વલસાડ, આણંદ, ભરૂચ અને તાપી ખાતે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જનાર છે તેઓના માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. જે બસો રૂટીન દોડે છે તે સિવાય પણ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન સુરત એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 6 તારીખે 70 બસો જયારે 7 તારીખે 120 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

વિદ્યાર્થીઓ માટે કંટ્રોલ રૂમ નબર પણ જાહેર કરાયો

પરીક્ષાને ધ્યાને લઈને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોચી શકે તે માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે. લોકો ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકે છે. જે માટેનું ઓનલાઇ બુકિંગ પણ શરુ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કોઈ હાલાકી ન પડે તે માટે કંટ્રોલ રૂમ નબર પણ જાહેર કરવામાં આવ્યો છે. 63599 – 18746 નંબર પર સંપર્ક કરી કોઈ સમસ્યા હોય તો જાણ પણ કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

ઓનલાઈન બુકિંગ પણ શરુ કરી દેવાયું છે: પી.વી. ગુર્જર

સુરત એસટી વિભાગીય નિયામક પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે 7 મેના રોજ તલાટીની પરીક્ષા અન્વયે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતથી અમદાવાદ, વડોદરા, નવસારી, વલસાડ, આણંદ,ભરૂચ સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવાશે. આ ઉપરાંત આવવા અને જવા માટે ઓનલાઇન બુકિંગ પણ શરુ કરી દેવામાં આવ્યું છે. ઓનલાઈન બુકિંગ જોફૂલ થઇ જશે તો વધારાની બસો પણ દોડાવાશે. આ ઉપરાંત 63599 – 18746 કંટ્રોલ પોઈન્ટ નો નબર છે વિદ્યાર્થીઓને કોઈ અગવડ હોય તો આ નંબર  પર સંપર્ક કરીને માહિતી મેળવી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

  ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 4:35 pm, Fri, 5 May 23

Next Article