Surat : લગ્ન સીઝનમાં આવકનો વધુ એક સ્ત્રોત ઊભો કરવા SMCનો પ્લાન, શહેરના કોમ્યુનિટી હોલમાં બનાવશે વધારાના રુમ

|

Apr 16, 2022 | 2:28 PM

બુધવારે સ્ટેન્ડિંગ કમિટીએ (Standing Committee) શહેરના કોમ્યુનિટી હોલમાં (Community Hall) આયોજિત લગ્નોત્સવમાં આવનારા લોકો માટે રહેવાની વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. સ્થાયી સમિતિના સભ્ય વ્રજેશ ઉનડકટે સમગ્ર શહેરમાં કોમ્યુનિટી હોલમાં 20-25 વધારાના રૂમ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

Surat : લગ્ન સીઝનમાં આવકનો વધુ એક સ્ત્રોત ઊભો કરવા SMCનો પ્લાન, શહેરના કોમ્યુનિટી હોલમાં બનાવશે વધારાના રુમ
SMC is planning to build additional rooms in community hall

Follow us on

સુરત (Surat) શહેરના મોટાભાગના કોમ્યુનિટી હોલ પ્રાઇમ લોકેશન પર બાંધવામાં આવ્યા છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોને ઓછી કિંમતે સુવિધાયુક્ત હોલ મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકાએ (SMC) આયોજન કર્યુ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના કોમ્યુનિટી હોલમાં (Community Hall ) વધારાના રુમ બનાવાશે. લગ્ન સીઝન ચાલી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકાને તેનાથી આવક પણ મળી રહેશે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના કોમ્યુનિટી હોલમાં લગ્નો અને સંબંધીઓ માટે વધારાના રૂમ બનાવવાની તૈયારી ચાલી રહી છે.

સુરત શહેરની વસ્તી 70 લાખની નજીક પહોંચી ગઈ છે, પરંતુ લગ્નમાં બહારગામથી આવતા લોકોના રહેવાની કોઈ આર્થિક વ્યવસ્થા નથી. જેને ધ્યાનમાં રાખીને બુધવારે સ્ટેન્ડિંગ કમિટીએ શહેરના કોમ્યુનિટી હોલમાં આયોજિત લગ્નોત્સવમાં આવનારા લોકો માટે રહેવાની વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. સ્થાયી સમિતિના સભ્ય વ્રજેશ ઉનડકટે સમગ્ર શહેરમાં કોમ્યુનિટી હોલમાં 20-25 વધારાના રૂમ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે આ માટે કોમ્યુનિટી હોલની સ્થિરતા તપાસવામાં આવશે. જ્યાં શક્ય હશે ત્યાં કોમ્યુનિટી હોલમાં વધારાના રૂમ બનાવવામાં આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સ્થાયી સમિતિમાં કાઉન્સિલર વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું કે, શહેરમાં એક પરિવારમાં લગ્નના કિસ્સામાં વરઘોડામાં આવનાર સગા-સંબંધીઓની સંખ્યા વધુ હોય છે. સૌથી મોટી સમસ્યા સંબંધીઓ અને જાનૈયાઓ માટે રહેવાની વ્યવસ્થા કરવાની છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકોને વધુ તકલીફ પડે છે. ત્યારે શહેરના કોમ્યુનિટી હોલમાં લગ્નમાં આવેલા લોકોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવે તો પાલિકાની આવક પણ વધશે.

આ આયોજનથી વર્ષમાં 50 થી 100 દિવસ માટે કોમ્યુનિટી હોલ બુક કરવાથી જ સુરત મહાનગરપાલિકાની આવક બમણી થઇ જશે. સુરત મહાનગર પાલિકાએ શહેરના તમામ કોમ્યુનિટી હોલ પ્રાઇમ લોકેશન પર બનાવ્યા છે. આ કોમ્યુનિટી હોલ વોર્ડ અથવા ઝોનની મધ્યમાં બનાવવામાં આવ્યા છે. લગ્નમાં આવનાર મહેમાનોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવે તો લોકોને સારી સુવિધા સાથેનો હોલ મળી શકશે. તેના કારણે કોમ્યુનિટી હોલનું બુકિંગ પણ ઝડપથી વધશે અને આવક પણ વધશે.

આ પણ વાંચોઃ Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાનજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, 250 કિલો બુંદીની કેક બનાવવામાં આવી

આ પણ વાંચોઃ Hanuman Jayanti 2022 Live: PM મોદીએ ખોખરાધામમાં 108 ફુટની હનુમાનજીની પ્રતિમાનું લોકાર્પણ કર્યુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article