Surat: ચૈત્રી નવરાત્રિથી કરી શકશો મન મોહી લેતા અયોધ્યાની પ્રતિકૃતિ સમાન રામ મંદિરના દર્શન, કિંમત 70 હજારથી માંડીને 5 લાખ રૂપિયા

|

Mar 20, 2023 | 8:26 PM

સુરતના આ જ્વેલર્સ દ્વારા જે અલગ અલગ ચાંદીની ચાર રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે તેનો મહત્વનો ઉદ્દેશ એ છે કે આગામી દિવસોમાં સુરતના ભાવિકો એક મહિના સુધી આ મંદિરના દર્શન કરી શકે. તેમજ  રામ નવમીના પર્વ પહેલા અયોધ્યાના મંદિર જેવા જ દર્શન થઈ શકે. 

Surat: ચૈત્રી નવરાત્રિથી કરી શકશો મન મોહી લેતા અયોધ્યાની પ્રતિકૃતિ સમાન રામ મંદિરના દર્શન, કિંમત 70 હજારથી માંડીને 5 લાખ રૂપિયા

Follow us on

રામનવમીનું પર્વ નજીક છે ત્યારે સુરતમાં એક જ્વેલર્સ દ્વારા સુંદર મજાની રામમંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણાધીન છે ત્યારે સુરત શહેરના એક જ્વેલર્સે એક અનોખું રામ મંદિર બનાવ્યું છે. જેને ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવશે. આ મંદિરની વિશેષતા એવી છે કે તમને સાત સાત રામ મંદિરના દર્શન થતા હોય તેવો આભાસ થાય છે.

ચાંદીના રામ મંદિરના રામનવમીએ થશે દર્શન

સુરતના જ્વેલર્સ દિપક ચોક્સીના શો રૂમમાં બનાવાવમાં આવેલું  ચાંદીનું રામ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ રામ નવમીના દિવસે આ ચાંદીના મંદિરની પ્રતિકૃતિ ભાવિકો માટે દર્શનાર્થે મૂકવામાં આવશે.

સુરતના જ્વેલર્સે રામ નવમી ધ્યાને રાખીને તેમજ લોકોની માગણીને ધ્યાનમાં રાખીને ચાંદીનું મંદિર બનાવ્યું છે અને તેમાં સરસ મજાની કોતરણી પણ કરી છે. ચાંદીમાંથી બનેલા આ રામ મંદિરની કિંમત 80 હજાર થી લઈ 5 લાખ સુધી રાખવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બે મહિનાની મહેનત બાદ નિર્માણ પામ્યું મંદિર

ચાંદીની અલગ અલગ પ્રતિકૃતિ બનાવવા માટે અંદાજિત બે મહિના સુધીનો સમય લાગ્યો છે. સૌ પ્રથમ તો આરામ મંદિરની પ્રતિકૃતિ પુઠાની અંદર ઊભી કરવામાં આવી હતી. ચાંદીમાંથી બનાવેલા આ રામ મંદિર માટે પહેલા ડિજિટલ ફ્રેમ બનાવવામાં આવી હતી . ત્યારબાદ લાકડામાં મંદિર બનાવાયું હતું અને આખરે તેને છેલ્લો ઓપ આપીને મંદિરને ચાંદીમાં ઢાળવામાં આવ્યું હતું. દેશમાં આગામી વર્ષમાં જ્યારે રામમંદિર ભાવિકો માટે ખુલ્લૂ મૂકાશે, ત્યારે લોકો તેના દર્શન કરી શકશે. જોકે સુરતમાં ભાવિકો તે  પહેલા જ ચાંદીના રામ મંદિરના દર્શન કરી શકશે.

સુરતના આ જ્વેલર્સ દ્વારા જે અલગ અલગ ચાંદીની ચાર રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે તેનો મહત્વનો ઉદ્દેશ એ છે કે આગામી દિવસોમાં સુરતના ભાવિકો એક મહિના સુધી આ મંદિરના દર્શન કરી શકે. તેમજ  રામ નવમીના પર્વ પહેલા અયોધ્યાના મંદિર જેવા જ દર્શન થઈ શકે.

 

રામ મંદિરની અલગ અલગ વજનની પ્રતિકૃતિ બનાવાઈ

  • 600 ગ્રામ, 1.250 કિલો, 3.500 કિલો અને 5 કિલોના  જુદા જુદા 4 રામ મંદિર બનાવવામાં આવ્યા છે.
  • 70 હજારથી લઈને  5 લાખની કિંમત છે મંદિરની
  • પ્રતિકૃતિને પ્રથમ નવરાત્રિથી લોકોના દર્શન માટે મુકાશે.

 

Next Article