Surat : સુરતે ફરી માનવતા મહેકાવી : મહારાષ્ટ્રમાં પુરથી બેઘર બનેલા લોકોને 511 કીટ મોકલવામાં આવશે

મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બારે મેઘ ખાંગા થતાં ઘણા પરિવારોને બેઘર થવાનો પણ વારો આવ્યો છે. ત્યારે સુરત આ લોકોની પડખે ઉભું રહ્યું છે.

Surat : સુરતે ફરી માનવતા મહેકાવી : મહારાષ્ટ્રમાં પુરથી બેઘર બનેલા લોકોને 511 કીટ મોકલવામાં આવશે
બેઘર બનેલા લોકોને 511 કીટ મોકલવામાં આવશે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 5:09 PM

સુરત (Surat) મુશ્કેલીના સમયમાંથી ઘણીવાર બહાર આવ્યું છે. એવું કહેવાય છે કે સુરત શહેર ફિનિક્સ પક્ષી જેવું છે. જે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે આવવું તે સારી રીતે જાણે છે. દાનવીર કર્ણની ભૂમિ તરીકે પણ સુરતની ઓળખ છે. ત્યારે સુરત શહેર મુશ્કેલીના સમયમાં માનસિક રીતે હોય કે આર્થિક રીતે અન્ય શહેરોની પડખે હંમેશા ઉભું રહ્યું છે.

તાજેતરમાં ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર (Maharashtra)માં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટીનું(flood) નિર્માણ થયું છે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બારે મેઘ ખાંગા થતાં ઘણા પરિવારોને બેઘર થવાનો પણ વારો આવ્યો છે. ત્યારે સુરત આ લોકોની પડખે ઉભું રહ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

અતિવૃષ્ટિના કારણે જે લોકો બેઘર બન્યા છે, તેમજ જેમની પાસે રહેવા માટે ઘર, પહેરવા માટે કપડાં અને ખાવા પીવા માટે અનાજ પાણી પણ નથી રહ્યા તેવા સમયે સુરતની વિદ્યાકુંજ સ્કૂલ, વિદ્યાદીપ સંકુલ અને સાંઈનાથ સ્પોર્ટ્સ ક્લ્બ દ્વારા માનવતાની મહેક અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન હેઠળ  શહેરના વિવિધ દાતાઓ અને સ્કૂલના વિદ્યાર્થી તેમજ વાલીઓ પાસેથી મળેલ અનાજ, તેલ, કપડાં, તેમજ રોકડની 511 કીટ બનાવવામાં આવી છે.

એક કીટમાં પાંચ કિલો ચોખા, 2 કિલો તિવેરદાળ, અઢી કિલો લોટ, 1 કિલો ખાંડ અને ચા, હળદર,મરચું, મીઠું, 2 જોડી કપડાં મુકવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી આ કીટો તૈયાર કરવામાં આવી રહી હતી. આજે આવી 511 જેટલી કીટ બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે તે મહારાષ્ટ્ર કોંકણ વિસ્તારમાં અસરગ્રસ્ત પૂર એરિયામાં મોકલવા રવાના કરવમાં આવશે.

વિદ્યાકુંજ સ્કૂલના સંચાલક મહેશ પટેલે જણાવ્યું હતું કે વિવિધ દાતાઓ અને વિદ્યાર્થી વાલીઓના સહયોગથી  આ શક્ય બન્યું છે. અમે 511 જેટલી કીટો તૈયાર કરીને મહારાષ્ટ્ર તેમજ કોંકણ વિસ્તાર કે જ્યાં પૂરની સૌથી વધારે તબાહી થઈ છે. ત્યાં આ કીટ મોકલીશું અને જરૂર પડે તો હજી સહાય કરવા અમે તૈયાર છીએ.

આ પણ વાંચો : Rakhi Market News: હવે માર્કેટમાં આવી ગઈ છે વૈદિક રાખડીઓ, જાણો શું છે ખાસિયતો ?

આ પણ વાંચો: Gujarat માં સારા વરસાદ માટે રાહ જોવી પડશે, હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">