RTE Admission : સુરતની 919 શાળામાં RTE અંતર્ગત પ્રવેશ માટે આજથી નોંધણી શરૂ, હેલ્પલાઇન નંબર પણ જાહેર

|

Mar 30, 2022 | 9:36 AM

સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ હેલ્પલાઇન નંબર ( મો -96624 73035 ) જાહેર કર્યો છે . આ નંબર પર વાલીઓ સવારે 11 થી 5 વાગ્યા દરમિયાન હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકશે .જેથી ફોન પર જ વાલીઓને મૂંઝવતી તમામ બાબતોનું નિરાકરણ પણ આવી શકશે.

RTE Admission : સુરતની 919 શાળામાં RTE અંતર્ગત પ્રવેશ માટે આજથી નોંધણી શરૂ, હેલ્પલાઇન નંબર પણ જાહેર
Registration for admission under RTE in 919 schools of Surat starts (File Image )

Follow us on

સુરત (Surat )સહિત રાજ્યભરની સ્વનિર્ભર શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત પ્રવેશ માટે બુધવારે 30 માર્ચથી ઓનલાઇન (Online )નોંધણી પ્રક્રિયા શરૂ થશે . જેમાં જૂન -2022 થી ધોરણ -1 માં પ્રવેશ માટે 11 એપ્રિલ સુધી અરજી કરી શકાશે . સુરત જિલ્લામાં 919 ખાનગી શાળામાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ થશે . દરમિયાન સુરત જિલ્લાના વાલીઓની મૂંઝવણના ઉકેલ માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ હેલ્પલાઇન નંબર ( મો -96624 73035 ) જાહેર કર્યો છે . વાલીઓ સવારે 11 થી 5 વાગ્યા દરમિયાન હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકશે . સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આરટીઇ અંતર્ગત પ્રવેશ ફાળવણી , પ્રવેશ પ્રક્રિયા માટે 90 તજજ્ઞોની ટીમ બનાવી છે .

વાલીઓ ખોટી માહિતી રજૂ કરશે તો તેમના બાળકનો પ્રવેશ રદ ગણાશે

ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જાહેર થયેલી માર્ગદર્શિકા ખોટી મુજબ , માહિતી કે પુરાવાના આધારે પ્રવેશ મેળવનારા બાળકોનો પ્રવેશ રદ થશે તેમજ તેવી માહિતી આપવી ગુનાપાત્ર બને છે . તેમજ નબળા અને વંચિત જૂથના વાલીઓનાં બાળકો જ અરજી કરી શકશે . ધોરણ -1 થી 8 માં ભણતા બાળકોને આ યોજનાનો લાભ મળશે નહીં . ચાલુ વર્ષથી આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે 1.50 લાખ રહેશે . ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભર્યા બાદ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત સ્કેન કરી વેબસાઇટ પર અપલોડ કરવાના રહેશે . જો અપલોડ કરેલા ડોક્યુમેન્ટ યોગ્ય જણાશે નહીં તો તેના આધારે અરજી રદ થઇ શકશે .

મૂંઝવણના ઉકેલ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર

સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ હેલ્પલાઇન નંબર ( મો -96624 73035 ) જાહેર કર્યો છે . આ નંબર પર વાલીઓ સવારે 11 થી 5 વાગ્યા દરમિયાન હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકશે .જેથી ફોન પર જ વાલીઓને મૂંઝવતી તમામ બાબતોનું નિરાકરણ પણ આવી શકશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

વાલીઓ દ્વારા બુધવારે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થવાની સાથે જ વેરિફિકેશન કામગીરી પણ શરૂ કરાશે . તે માટે જુદી જુદી સરકારી શાળાના આચાર્યોની મદદ લેવાશે . સુરતની 919 ખાનગી શાળાઓમાં પ્રવેશ ફાળવણી થશે . નોંધનીય છે કે , ધોરણ 1 માં આરટીઇ એક્ટ હેઠળ પ્રવેશ મેળવવા માટે વાલીઓ 30 માર્ચથી 11 એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે . માત્ર અમાન્ય ઓનલાઇન અરજીમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે 17 એપ્રિલથી 19 એપ્રિલ સુધીના ત્રણ દિવસો ફાળવાયા છે . આ યોજનોમાં પ્રવેશ ઓનલાઇન વેબસાઇટ પરથી ફાળવાશે . જૂન -2022 થી ધો . 1 માં નવીન પ્રવેશ પાત્ર બાળકો માટે જ અરજી કરી શકાશે.

આ પણ વાંચો :

Surat : ક્રાઇમ બ્રાન્ચે ચેન સ્નેચિંગના કેસમાં આરોપીની ધરપકડ કરી, અનેક ગુનાઓના ભેદ ઉકેલાશે

Surat : થીમ બેઇઝડ સાડીનું વધતું ચલણ , પુષ્પા બાદ હવે The Kashmir Files ની સાડી માર્કેટમાં આવી

Next Article