Surat Diamond: વિશ્વમાં હીરાની માગમાં ઘટાડાએ વધારી સુરતના હીરાના વેપારીઓ માટે મુશ્કેલી ! જાણો

|

Jul 21, 2023 | 4:01 PM

સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વના સૌથી મોટામાંનો એક છે, જે ભારતની હીરાની નિકાસમાં લગભગ 90 ટકા અને વિશ્વના પોલિશ્ડ હીરાના 80 ટકા હિસ્સો ધરાવે છે. પરંતુ યુક્રેન-રશિયા યુદ્ધ અને વૈશ્વિક મંદીના કારણે સુરતના હીરાના વેપારીઓ ચિંતિત દેખાઈ રહ્યા છે.

Surat Diamond: વિશ્વમાં હીરાની માગમાં ઘટાડાએ વધારી સુરતના હીરાના વેપારીઓ માટે મુશ્કેલી ! જાણો

Follow us on

Surat Diamond: સુરતનો હીરાનો બિઝનેસ જે દેશ અને દુનિયામાં ચમકતો હતો તે હવે ફિક્કો દેખાઈ રહ્યો છે. અન્ય પોલિશ્ડ ડાયમંડની ઓછી વપરાશની માગ, યુક્રેન-રશિયા યુદ્ધ અને વૈશ્વિક મંદીના કારણે સુરતના હીરાના વેપારીઓ ચિંતિત દેખાઈ રહ્યા છે. જો આમ જ ચાલુ રહેશે તો સુરતના હીરા ઉદ્યોગને આગામી દિવસોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેમ વેપારીઓ માની રહ્યા છે. હીરા ઉદ્યોગસાહસિકનું માનવું છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 20 ટકા ઓછી નિકાસ થઈ છે.

છેલ્લા ત્રણ મહિનામાં તેમાં માત્ર ઘટાડો થયો છે. આ મંદીના કારણે હીરા કાપવાના કારખાનામાં અઠવાડિયામાં બે રજાઓ આપવી જરૂરી બની છે. સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વના સૌથી મોટામાંનો એક છે, જે ભારતની હીરાની નિકાસમાં લગભગ 90 ટકા અને વિશ્વના પોલિશ્ડ હીરાના 80 ટકા હિસ્સો ધરાવે છે. જો કે, તાજેતરના વર્ષોમાં તે વેપાર યુદ્ધ, ચલણની વધઘટ, પર્યાવરણીય મુદ્દાઓ અને ભૌગોલિક રાજકીય તણાવ જેવા વૈશ્વિક પરિબળોને કારણે અનેક પડકારોનો સામનો કરી રહી છે.

વિશ્વભરમાં હીરાનો વેપાર આશરે $6.11 બિલિયન છે, જેમાં ભારતનો હિસ્સો 34.72% છે, જેનો અર્થ ભારતીય ચલણમાં ₹1.80 લાખ કરોડ છે. પરંતુ એપ્રિલથી જૂન સુધીમાં નિકાસમાં લગભગ 20%નો ઘટાડો થયો છે. આ કારણોસર સુરતમાં હીરા કાપતા નાના વેપારીઓએ અઠવાડિયામાં બે દિવસની રજા લીધી છે અને તેમના કામના કલાકો પણ ઘટાડી દીધા છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ પણ વાંચો : રાજ્યમાં આગામી 3 દિવસ ભારે !, હવામાન વિભાગે કરી આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ

જો આવું વાતાવરણ રહેશે તો આ રજા 2 દિવસને બદલે 3 દિવસ સુધી લંબાવવામાં આવશે. સુરત હીરા બજાર અત્યારે મંદીના માહોલ વચ્ચે પસાર થઈ રહ્યું છે કેટલીક કંપનીઓ પોતાના કારીગરોને સાત દિવસની અંદર બે દિવસથી રજા આપી રહ્યા છે. સાથે સુરત હીરા બજારના નાના કારખાના જેવા કે એક બે ચાર પાંચ હીરાની ઘંટી ચલાવતા કારખાના પણ બંધ થવા લાગ્યા છે આ મંદિરના માહોલ વચ્ચે હીરા વેપારીઓ મુશ્કેલી ની અંદર મુકાઈ રહ્યા છે અને હીરા કારખાના માલિકો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે કે થોડો થોડો સમય પસાર કરી અને માર્કેટ સ્થિર થાય તે માટેની રાહ જોઈ રહ્યા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article