સુરતમાં(Surat)ભરીમાતા રોડ ઉપર રહેતો યુવક કામ નહીં કરતા તેની પત્ની સાથે વારંવાર ઝઘડો થયા હતો જેમાં પતિ પત્ની સાથે ઝઘડો કરીને તેનું ગળુ દબાવી હત્યા(Murder)કરી નાંખી ફરાર થઇ ગયો હતો.આ બાબતે ચોક બજાર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. જેમાં સુરતના ફૂલવાડી ભરીમાતા રોડ ઉપર મન્નત એપાર્ટમેન્ટમાં રહેતા ઇરફાન શેખ ઇશાક શેખના લગ્ન સલાબતપુરામાં ભાઠેના પાસે રઝાનગરમાં રહેતા આફરીન ઇરફાન શેખની સાથે થયા હતા. ઇરફાન કોઇ કામધંધો કરતો ન હોવાથી પત્ની આફરીન સાથે વારંવાર ઝઘડો થયા હતો. આફરીન ઇરફાનને કામધંધો કરવા માટે કહેતી હતી, પરંતુ ઇરફાન કામે જતો ન હતો અને આફરીનની સાથે ઝઘડો કરી માર મારતો હતો.
આ બંને વચ્ચેનો ઝઘડો વધી જતાં પરિવારના સભ્યોએ સમાધાન પણ કરાવ્યું હતું. ત્યાં બે દિવસ પહેલા ફરીવાર કામધંધાની બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઇ હતી. ઇરફાને આફરીનનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. ઘરમાં ઝઘડાનો અવાજ આવતા પાડોશમાં રહેતા આફરીનના ફોઇ તાત્કાલીક ઘરે આવી ગયા હતા. આફરીનના ફોઇ અને ઇરફાન બંને આફરીનને નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરો આફરીનને મૃત જાહેર કરી હતી.
જ્યારે મોત શબ્દ સાંભળીને તરત જ ઇરફાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આફરીનના ફોઇએ આફરીનના માતા-પિતાને જાણ કરીને તેઓને હોસ્પિટલ બોલાવ્યા હતા. આફીરનની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા તેણીને ગળુ દબાવીને હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે ચોકબજાર પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ઇરફાન શેખની સામે ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આમ ચોક બજાર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે જેમાં પત્ની સાથે અવારનવાર ઝઘડાઓ થતા હોવાને લઇ ઘરમાં માથાકૂટ થતી હતી જેથી આખરે તેને કંટાળીને પત્નીનું ગાળું દબાવીને હત્યા કરી દીધી હતી હાલ ચોક બજાર પોલીસે આરોપીની ધરપકડ કરી વધી તપાસ હાથ ધરી છે.
Published On - 5:56 pm, Sat, 2 July 22