સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં આગથી બચવા વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી, 19 લોકોના મોત

|

May 24, 2019 | 1:19 PM

સુરતમાં સરથાણાના તક્ષશિલા એપાર્ટમેન્ટમાં લાગી આગની ઘટનામાં 19 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આગની ઘટનામાં 30થી વધુ લોકો ફંસાયા હતા. તો કેટલાક બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે છલાંગ લગાવી દીધી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયા હતા અને સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બીજી તરફ તંત્રની કામગીરીને લઈને પણ અનેક સવાલ ઉભા થયા છે. ત્યારે સુરતમાં અનેક […]

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં આગથી બચવા વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી, 19 લોકોના મોત

Follow us on

સુરતમાં સરથાણાના તક્ષશિલા એપાર્ટમેન્ટમાં લાગી આગની ઘટનામાં 19 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આગની ઘટનામાં 30થી વધુ લોકો ફંસાયા હતા. તો કેટલાક બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે છલાંગ લગાવી દીધી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયા હતા અને સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બીજી તરફ તંત્રની કામગીરીને લઈને પણ અનેક સવાલ ઉભા થયા છે. ત્યારે સુરતમાં અનેક વખત ટ્યુશન ક્લાસિસમાં આગની ઘટના સર્જાઈ ચૂકી છે. જેમાં પણ અનેક જીવોના મોત થયા છે. આવી બેદરકારીના કારણે જ વારંવાર આ પ્રકારની ઘટના સામે આવી રહી છે. તો ઘટના બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સમગ્ર ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું  છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સમગ્ર ઘટના અંગે ટવીટ દ્વારા પોતાની સંવેદના દર્શાવી છે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીમાં આ 25 બેઠક પર દેશના દિગ્ગજ નેતાઓ પોતાની કિસ્મત અજમાવી રહ્યા હતા અને કેટલાક હારી ગયા

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

TV9 Gujarati

 

ટ્યૂશન ક્લાસિસમાં આગ લગાવી સુરતમાં નવું નથી. અગાઉ પણ વેસુ આગમ આર્કેડમાં આવેલા ટ્યુશન ક્લાસીસમાં આગ લાગી હતી. જેના કારણે અભ્યાસ માટે આવેલા 50 વિદ્યાર્થીઓ ધૂમાડાના પગલે ફસાઈ ગયા હતા. અને ક્લાસિસ નીચે મોટી સંખ્યામાં વાલીઓ પણ એકઠા થયા હતાં.. ઘટનામાં કેટલાક વિદ્યાર્થીઓને કાચ તોડતા સમયે હાથ પર ઈજા થઈ હતી. ત્યારે ફરી એકવાર તંત્રની લાપરવાહીના કારણે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:17 pm, Fri, 24 May 19

Next Article