સુરતમાં હજીરા સ્થિત ONGC કંપનીની પાઈપલાઈનમાં અઢી મહિના પહેલા થયેલા બ્લાસ્ટ થયો હતો. જેનાથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતા GPCBએ ONGCને રૂપિયા 1 કરોડનો દંડ ફટકાર્યો. આ રકમ કંપની દ્વારા ભરી દેવામાં આવી હોવાનો દાવો પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખે કર્યો છે. આગ લાગવા મુદ્દે કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટે કેન્દ્રીય પર્યાવરણ પર્યાવરણ મંત્રાલય, જિલ્લા કલેક્ટર, જીપીસીબી તથા કેન્દ્રીય પ્રદુષણ […]
Follow us on
સુરતમાં હજીરા સ્થિત ONGC કંપનીની પાઈપલાઈનમાં અઢી મહિના પહેલા થયેલા બ્લાસ્ટ થયો હતો. જેનાથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતા GPCBએ ONGCને રૂપિયા 1 કરોડનો દંડ ફટકાર્યો. આ રકમ કંપની દ્વારા ભરી દેવામાં આવી હોવાનો દાવો પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખે કર્યો છે. આગ લાગવા મુદ્દે કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટે કેન્દ્રીય પર્યાવરણ પર્યાવરણ મંત્રાલય, જિલ્લા કલેક્ટર, જીપીસીબી તથા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડમાં ફરિયાદ કરી હતી કે વિસ્ફોટથી પર્યાવરણમાં ઝેરી ગેસ જેવા કે સલ્ફર, નાઇટ્રોજન, અશુદ્વિઓ વાતાવરણમાં ફેલાઈ હતી. તેમજ શોકવેવના કારણે લોકોના ઘરના કાચને પણ નુકસાન થયું હતું.. જે બાબતોને ધ્યાનમાં લઈ રૂપિયા 1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.