Surat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. આ સાથે જ સાજા થવાનો ડર પણ વધુ થયો છે. સુરતમાં છેલ્લા એક અઠવાડિયાથી નવા કેસો ઘટતા છેલ્લા દસ દિવસમાં દસ હજાર એક્ટિવ કેસ ઓછા થયા છે.
કોરોના ના કેસ ઘટી જતાં હવે સુરત પાસે ઓક્સિજનનો જથ્થો પણ સર પ્લસ રહે છે. એપ્રિલમાં દૈનિક ઓક્સિજન વપરાશ 250 મેટ્રિક ટન પહોંચ્યો હતો જે ઘટીને આજે 148 મેટ્રિક ટન થઇ ગયો છે. હાલમાં સુરતની 160 મેટ્રિક ટન ઓક્સિજન મળી રહ્યો છે એટલે કે 12 મેટ્રિક ટન ઓક્સિજન સર પ્લસ રહે છે.
છેલ્લા એક અઠવાડિયાથી કોરોના નવા કેસ ની સંખ્યા ઓછી થતાં સિવિલ, સ્મીમેર તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા વધી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 67% ખાલી થયા છે. જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં 36 ટકા બેડ ખાલી છે.
છેલ્લા પાંચ દિવસથી સુરતમાં નવા પોઝિટિવ કેસોની સંખ્યા એક હજારથી નીચે આવી ગઇ છે. જ્યારે રોજ બે હજારથી વધુ દર્દીઓ સાજા થઇ રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 1518 બેડની વ્યવસ્થા છે તેમાંથી 490 બેડ પર દર્દીઓ દાખલ છે. તેવી જ રીતે સ્મીમેરમાં 941 બેડની વ્યવસ્થા સામે 314 દર્દીઓ દાખલ છે. જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં 4231 બેડની વ્યવસ્થા સામે 2709 દર્દી દાખલ છે.
એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ્યાં સિવિલ કે સ્મીમેર હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળતી હતી. ત્યાં હવે એકાદ બે એમ્બ્યુલન્સ જ દેખાઈ રહી છે. જે સુરત માટે રાહતના સમાચાર લઈને આવ્યું છે
Published On - 12:08 pm, Fri, 14 May 21