Surat : 110 વર્ષ જૂની છુક છુક ગાડી: બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન મુસાફરોની પહેલી પસંદ બની, રેલવે માટે આવકનો નવો સ્ત્રોત

|

Nov 29, 2021 | 7:01 PM

ડાંગ જવા માટે મુસાફરોની પહેલી પસંદ બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન જ છે. વિસ્તાડોમ એસી કોચનું ભાડું લગભગ 560 રૂપિયા અને જનરલ કોચનું ભાડું ફક્ત 40 રૂપિયા છે.

Surat : 110 વર્ષ જૂની છુક છુક ગાડી: બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન મુસાફરોની પહેલી પસંદ બની, રેલવે માટે આવકનો નવો સ્ત્રોત
Narrow gauge train

Follow us on

દિવાળીના (Diwali) સમયમાં દક્ષિણ ગુજરાતના ડાંગ (Dang) જિલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. જેના માટે 110 વર્ષ જૂની બિલીમોરા વધઈ નેરોગેજ ટ્રેન (Narrow Gauge Train) પર્યટકોની પહેલી પસંદ બની હતી. પશ્ચિમ રેલવેએ 4થી સપ્ટેમ્બરથી વિસ્તાડોમ એસીના એક કોચની સાથે ટ્રેનની શરૂઆત કરી હતી. જેમાં ત્રણ મહિનામાં ઓછામાં ઓછા 20,818 જેટલા મુસાફરોએ સફર કરી હતી અને રેલવેને તેનાથી 1.83 લાખની આવક થઈ છે.

 

રેલવે અને ટેક્સ્ટાઈલ મંત્રી દર્શન જરદોશે આદિવાસીઓ માટે લાઈફલાઈન કહેવાતી બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનને 4 સપ્ટેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. પહેલી જ ટ્રીપમાં નવા રૂપરંગ સાથે શરૂ થયેલી ટ્રેનને લઈને મુસાફરોમાં ગજબનો  ઉત્સાહ જોવા મળ્યો હતો.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

આ ટ્રેન ડાંગ જિલ્લામાં વઘઈ અને નવસારી જિલ્લામાં બિલીમોરા વચ્ચે પર્વતીય વિસ્તારોમાં રહેનારા આદિવાસી લોકો માટેની લોકપ્રિય ટ્રેન છે. કોરોના સમય દરમ્યાન આ ટ્રેન બંધ થઈ જવાના કારણે લોકોને ખુબ મુશ્કેલી વેઠવી પડી હતી. પરંતુ હવે આ જ ટ્રેન પશ્ચિમ રેલવે માટે આવકનો નવો સ્ત્રોત બની ગઈ છે.

 

 

દિવાળી વેકેશન દરમ્યાન મુસાફરો મોટી સંખ્યામાં આ ટ્રેન મારફતે ડાંગનું પ્રાકૃતિક સૌંદર્ય જોવા પહોંચ્યા હતા. ત્યાં જ ડાંગ જવા માટે મુસાફરોની પહેલી પસંદ બિલીમોરા, વઘઈ નેરોગેજ ટ્રેન જ છે. વિસ્તાડોમ એસી કોચનું ભાડું લગભગ 560 રૂપિયા અને જનરલ કોચનું ભાડું ફક્ત 40 રૂપિયા છે.

 

 

સપ્ટેમ્બર મહિનામાં એસી કોચમાં 4,115 મુસાફરોએ મુસાફરી કરી હતી. જનરલ કોચમાં 5,431 લોકોએ સફર કરી હતી. જેનાથી 1.78 લાખની આવક થઈ હતી. ઓક્ટોબરમાં એસી અને જનરલ બંને કોચમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. નવેમ્બર મહિનામાં દિવાળી પછી ફરી મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 27 દિવસોમાં જ એસી કોચમાં 207 અને જનરલ કોચમાં 9 હજાર કરતા વધુ લોકોએ મુસાફરી કરી છે.

 

 

ટ્રેક મજબૂત કરીને અને સ્પીડ વધારવાથી હજી વધશે ટ્રાફિક 

પશ્ચિમ રેલવે માટે બિલીમોરા વઘઈ નેરોગેજ લાઈન નુકસાનમાં જનારી ટ્રેન હતી અને રેલવે બોર્ડે આ રૂટને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આદિવાસી સમાજ અને જનપ્રતિનિધિઓની માંગ બાદ રેલવે બોર્ડે તેને હેરિટેજ લાઈન જાહેર કરીને ટ્રેન ફરી શરૂ કરી છે. ગુજરાત પર્યટન વિભાગ, પશ્ચિમ રેલવે અને આઈઆરટીસી મળીને જો પ્રયાસ કરે તો આ રૂટને હજી સારી રીતે ડેવલપ કરી શકાય છે. નેરોગેજ લઈને મજબૂતી આપીને ટ્રેનની ઝડપ 25 કિમિ પ્રતિ કલાક પર ધ્યાન આપવું જોઈએ.

 

આ પણ વાંચો : Surat : કોરોના સહાય ચુકવવામાં સુરત રાજ્યમાં મોખરે, 100 પરિવારોએ સહાય લેવાનો કર્યો ઇન્કાર

 

આ પણ વાંચો : Surat : વિન્ટર સીઝનમાં યુરોપિયન દેશોમાં કોલસાની માગમાં વધારો, ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થતા પ્રોસેસર્સની હાલત કફોડી

 

Next Article