દેવાધિદેવ મહાદેવની નગરી સોમનાથમાં દેશ-વિદેશના હિંદુ શ્રદ્ધાળુ શીષ ઝૂકાવવા પહોંચે છે. ધર્મ નગરીમાં આવેલી બૌદ્ધ વિરાસત ત્રીજી સદીની પૌરાણિક ગુફાનું નવિનીકરણ શરૂ કરાયું છે. પ્રવાસન વિભાગ દ્વારા 65 લાખના ખર્ચે બે ડુંગર અને ગુફાની ફરતે સુરક્ષા દિવાલ બનાવવામાં આવશે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે પાર્કિંગ, કાફેટેરીયા બનાવાશે. પહાડો કોતરીને બનાવેલી ગુફાની અંદર ચાર પિલર કોતરેલા છે. અહીં બૌદ્ધ પ્રતિમાના દર્શન સાથે ભક્તો પૌરાણિક વારસા અંગે પણ જાણી શકશે.
પ્રવાસન વિભાગ અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી બૌદ્ધ ગુફાઓનો વિકાસ કરાઈ રહ્યો છે. બૌદ્ધ સાધુઓ ગામ કે કોઈના ઘરે રોકાતા ન હતા. અને ગામની નજીક ગુફા બનાવીને રોકાતા હતા. સોમનાથ જતા ભક્તો હવે મોટી સંખ્યામાં આધુનિક બૌદ્ધ ગુફા જોવા જાય તેવું તંત્રનું આયોજન છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો