Rajkot : રાજકોટમાં જિલ્લા પંચાયત(Rajkot Jilla Panchayat) હસ્તકની દુકાનના ધારકોને હવે 500ની જગ્યાએ 35 હજાર રૂપિયા ભાડૂ ચુકવવું પડશે.35 હજારનું ભાડૂ આપવા માટે જિલ્લા પંચાયતે દુકાનધારકોને નોટિસ પાઠવી છે.જો દુકાનધારકો 35 હજારનું ભાડૂ નહીં ચુકવે તો એક મહિનામાં દુકાન ખાલી કરવી પડશે.જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં આવક વધારવા માટે દુકાનધારકોના(Shopkeeper) ભાડામાં 70 ગણો વધારો કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયત હસ્તકની દુકાનોનું (Rent) વર્ષોથી માત્ર 500 રૂપિયાનું ભાડું વસુલવામાં આવી રહ્યું છે.
તમને જણાવવું રહ્યું કે, સોમવારે પ્રમુખ હાજર ન રહેતા હોવાની ફરિયાદ બાદ રાજકોટ જિલ્લા પંચાયતનો લોકદરબાર (Lokdarbar) યોજાયો હતો. જામનગરથી (Jamnagar) વાગોદર જવાનો રસ્તો ખરાબ હોવાની રજૂઆત વાગોદર ગામના અરજદારે પ્રમુખને કરી હતી.દોઢ વર્ષથી રજૂઆત છતાં રોડનું સમારકામ ન થતા લોકદરબારમાં રજૂઆત કરાઈ હતી..જો કે લોકદરબારમાં માત્ર બે ગામના પ્રશ્નો આવ્યા હતા.સંગઠન પ્રભારીએ સૂચના આપ્યા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખે લોકદરબારનું આયોજન કર્યું હતુ.
તો આ તરફ જિલ્લા પંચાયતના પ્રમુખે (Jilla panchayat chief) કહ્યું, લોકોના પ્રશ્નો નથી જેથી લોકદરબારમાં કોઇ આવ્યા નથી.લોકદરબારમાં બે પ્રશ્નો આવ્યા છે.જેનું નિરાકારણ ટુંક સમયમાં આવશે.હવેથી દર સોમવારે એક કલાકનો લોક દરબાર મળશે.
Published On - 8:32 am, Tue, 14 June 22