Rajkot: સી.આર.પાટીલનો કેજરીવાલ પર પ્રહાર, કહ્યું ‘રેવડીવાળાને ગુજરાતમાં ઘૂસવા નહીં દઈએ’

|

Jul 21, 2022 | 9:23 PM

ગોંડલમાં (Gondal) સી.આર.પાટીલે ભવ્ય રોડ શો દરમિયાન આપના સુપ્રીમો કેજરીવાલ પર પ્રહાર કર્યાં હતા. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતને કોઈ પણ હાલતમાં શ્રીલંકા બનવા નહી દઈએ અને કોઈ પણ રેવડીવાળાને ગુજરાતમાં ઘુસવા નહીં દઈએ.

આગામી ગુજરાત વિધાનસભાની (Gujarat vidhan sabha Election) ચૂંટણીને લઈ ભાજપે કમર કસી છે. ત્યારે હવે મિશન સૌરાષ્ટ્ર પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પહોંચ્યા છે. ગોંડલમાં (Gondal) સી.આર.પાટીલે ભવ્ય રોડ શો દરમિયાન આપના સુપ્રીમો કેજરીવાલ પર પ્રહાર કર્યાં હતા. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતને કોઈ પણ હાલતમાં શ્રીલંકા બનવા નહી દઈએ અને કોઈ પણ રેવડીવાળાને ગુજરાતમાં ઘુસવા નહીં દઈએ. મહત્વનું છે કે તાજેતરમાં આપના અરવિંદ કેજરીવાલે તેના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યમાં મફત વીજળીનું વચન આપ્યું હતું, જેના અનુસંધાને સી. આર. પાટીલે આ નિવેદન કર્યું છે.

નોંધનીય છે કે સુરતની (Surat) મુલાકાતે આવેલા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwale) ગુજરાતના પ્રજાજનોને ચૂંટણીલક્ષી પ્રથમ ગેરંટી આપી છે. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે જો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવશે તો 300 યુનિટ વીજળી ગુજરાતની પ્રજાને ફ્રી આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે જો અમારી સરકાર આવશે તો ત્રણ મહિનામાં જ આ યોજના લાગુ કરી દેવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે સુરતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપની સરકાર બનશે તો ક્યા એજન્ડા પર કામ થશે તે અંગે માહિતી આપી હતી. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે ”આજે લોકોની સૌથી મોટી સમસ્યા મોંઘવારી છે. ગુજરાતમાં વીજળીના ખૂબ જ ઊંચા ભાવ વસુલવામાં આવે છે. ગુજરાતની પ્રજા હવે બદલાવ ઈચ્છે છે. લોકો ઈચ્છે છે કે, ગુજરાતમાં પણ વીજળી મફતમાં મળે. દિલ્હી-પંજાબમાં ફ્રી વીજળી મળી શકે તો ગુજરાતમાં પણ મળી શકે.

Next Video