રાજકોટના કોરોના મૃત્યુ સહાયના ફોર્મ લેવા લાઇનો લાગી, માહિતી ન મળતી હોવાની અરજદારોની ફરિયાદ

|

Nov 24, 2021 | 1:36 PM

રાજકોટમાં કોરોનાથી સત્તાવાર મોતનો આંક 458 છે.પરંતુ અત્યાર સુધી રાજકોટમાં 1250 જેટલા ફોર્મ ભરાઇને પરત આવ્યા છે.

રાજકોટમાં (Rajkot)કોરોનાથી મૃત્યુ (Corona Death) પામેલા પરિવારોને આર્થિક સહાય માટે ફોર્મ (Form)વિતરણ કરવામાં આવી રહ્યું છે..જેને લઈને ફોર્મ લેવા લોકોની લાંબી લાઈનો લાગી છે.મોટી સંખ્યામાં લોકો ફોર્મ લેવા સિવિક સેન્ટર પહોંચ્યા છે.

આ ફોર્મ લેવા આવેલા અરજદારો ફરિયાદ કરી રહ્યા છે કે તેમને યોગ્ય જાણકારી મળતી નથી.ફોર્મ લેવામાં હેરાનગતિ થઈ રહી છે.

રાજકોટમાં કોરોનાથી સત્તાવાર મોતનો આંક 458 છે.પરંતુ અત્યાર સુધી રાજકોટમાં 1250 જેટલા ફોર્મ ભરાઇને પરત આવ્યા છે.મહત્વનું છે કે નવા પરિપત્ર મુજબ અરજદારે જિલ્લા કલેક્ટર હેઠળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને જ સીધી અરજી કરવાની રહેશે.

ગુજરાત સરકારે આ અંગે 20 નવેમ્બરના રોજ પરિપત્રમાં સુધારો કરીને નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં હવે કોઝ ઓફ ડેથ સર્ટિ આપવામાં આવશે  આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટના રિપોર્ટ અને હોસ્પિટલના દસ્તાવેજો માન્ય રાખવામાં આવશે. તેમજ તેની સાથે મૃતકના પરિવારજનોને કોવિડ ડેથ સર્ટિફિકેટના બદલે કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે.

કોવિડ હોસ્પિટલમાં આગથી મૃત્યુ પામ્યા હોય તેમને સહાય નહીં મળે.આરોગ્ય વિભાગના આ ઠરાવ મુજબ કોરોના પોઝિટિવ સાબિત થયાના 30 દિવસની અંદર આત્મહત્યાના કિસ્સામાં સહાય મેળવવાને પાત્ર રહે છે.

સૂત્રોના જણા્વ્યા મુજબ કોવિડ હોસ્પિટલમાં આગથી મૃત્યુ પામ્યા હોય તેવા દર્દીના વારસદારને આ હેઠળ સહાય મળશે નહીં . કારણ કે સરકારે તેમને અગાઉ સહાય આપી દીધી છે.

આ પણ વાંચો : નવસારી યુવતી આપઘાત કેસમાં ઓએસિસ સંસ્થાની સંડોવણીની તપાસ કરવા કોંગ્રેસની માંગ

આ પણ વાંચો : સુરત : ભાજપના સ્નેહ મિલનના કાર્યક્રમને લઈ પોલીસની અપીલથી વિવાદ, વાહનચાલકોને ભોગવવી પડશે અગવડ

Published On - 1:34 pm, Wed, 24 November 21

Next Video