ગુજરાતમાં મેઘાના મંડાણ : વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર, હજુ બે દિવસ રહેશે વરસાદી માહોલ

હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ રહી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં (Saurashtra) આગામી બે દિવસમાં ચોમાસાની જમાવટ થશે.

ગુજરાતમાં મેઘાના મંડાણ : વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર, હજુ બે દિવસ રહેશે વરસાદી માહોલ
Monsoon 2022
| Edited By: | Updated on: Jun 15, 2022 | 1:40 PM

Monsoon 2022 : વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહેલા રાજયના ખેડૂતો(Farmer)  માટે સારા સમાચાર છે.આગામી દિવસોમાં ચોમાસું (monsoon) સમગ્ર રાજ્યમાં પહોંચી જશે તેવી આગાહી હવામાન વિભાગે(IMD)  કરી છે.હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ રહી છે.ત્યારે સૌરાષ્ટ્રમાં (Saurashtra) આગામી બે દિવસમાં ચોમાસાની જમાવટ થશે.અને રાજયમાં 16 અને 17 જૂને સારો વરસાદ પડશે. તેમજ અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને શહેરમાં ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે.

 

રાજ્યમાં જામતા ચોમાસા (Monsoon)વચ્ચે માછીમારોને (Fishermen) 14થી 17 જૂન સુધી દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 15 જૂન સુધી રાજ્યમાં ખાસ કરીને મૂળ દ્વારકા, ભાવનગર (Bhavnagar ) વેરાવળ, દીવ, જાફરાબાદ, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના દરિયામાં ન જવા માટે માછીમારોને સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂન સુધી અહીં 40-50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

ગરમીને લઈને પણ રાહતના સમાચાર

ચાલુ વર્ષે ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જેના કારણે ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. જે બાદ વાતાવરણમાં પલટો આવતા અને વરસાદી ઝાપટા આવતા ગરમી હાલ ઘટી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન થતા હવે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવે ચોમાસુ બેસતા હજુ બે ડિગ્રી તાપમાન ઘટી શકે છે. જેના કારણે લોકોને ગરમીમાં રાહત મળી શકશે. જોકે બફારાને કારણે લોકોને સામાન્ય ગરમીનો અહેસાસ થઈ શકે છે.

Published On - 8:06 am, Wed, 15 June 22