
રાજકોટમાં તળાવમાં ડૂબી જવાની કરુણ ઘટના સામે આવી છે. વીડીવાળા પીરની દરગાહ નજીક આવેલા તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળક સહિત કુલ ચાર લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, એક બાળક તળાવમાં ડૂબવા લાગતા તેને બચાવવા માટે અન્ય લોકો તળાવમાં ગયા હતા. જોકે, તેને બચાવવાના પ્રયાસ દરમિયાન અન્ય લોકો પણ પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ તળાવમાંથી ચારેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
આ દુર્ઘટનામાં મૃતકોમાં બે સગા ભાઈઓનો પણ સમાવેશ થાય છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો માટે આ ઘટના અત્યંત આઘાતજનક બની છે.
Rajkot: Four Die After Drowning in Pond Near Vidivala Pir Dargah | Gujarat | TV9Gujarati#Rajkot #Drowning #PondAccident #Gujarat #TV9Gujarati pic.twitter.com/B6CMViydq7
— Tv9 Gujarati (@tv9gujarati) August 16, 2026
આ ઘટનામાં વધુ કરુણ બાબત એ છે કે મૃતક 10 વર્ષીય બાળક સોહાનનો આજે જ જન્મદિવસ હતો. જન્મદિવસના દિવસે જ તળાવમાં ડૂબી જવાથી તેનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતકોના પરિવારજનો પાસેથી માહિતી મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સુરતના ભેસ્તાન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, જુઓ Video
Published On - 6:24 pm, Sun, 16 August 26