ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણીની નિખાલસતા, સ્વીકારી આ વાત

|

Oct 09, 2021 | 8:44 AM

ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ ખાતે આયોજીત ઋણ સ્વીકાર કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ભૂતકાળ વાગોળયો હતો.

ગુજરાતના(Gujarat)પૂર્વ સીએમ વિજય રૂપાણીએ(Vijay Rupani)ફરી એક વાર પોતાના નિખાલસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે રાજકોટમાં(Rajkot)એક કાર્યક્રમમાં એ બાબતનો સ્વીકાર કર્યો કે તેમણે ક્યારેક મુખ્ય પ્રધાન બનવાનું સ્વપન જોયું ન હતું. તેમણે જણાવ્યું કે ” મેં મુખ્યપ્રધાન બનવાનું સપનું ક્યારેય નહોતું જોયું પણ સંજોગોએ મને મુખ્યપ્રધાન બનાવ્યો ”

પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ ખાતે આયોજીત ઋણ સ્વીકાર કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ભૂતકાળ વાગોળયો હતો. તેમજ કેટલીક નિખાલસ કબુલાત કરી હતી.રાજકોટ શહેરના વિવિધ એસોસિએશન, સંસ્થાઓ, જ્ઞાતિ સંગઠનો દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા અને કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : વર્ષ 2024ની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ચૂંટાશે : અમિત શાહ

આ પણ વાંચો: અમદાવાદ મનપાએ ત્રણ મહિનામાં 28 રિઝર્વ પ્લોટ પરથી દબાણો દૂર કરી પ્લોટ ખુલ્લા કર્યા

Next Video