RAJKOT : રાજ્ય સરકાર હસ્તકની યુનિવર્સિટીઓમાં નિયંત્રણ મુદ્દે કોંગ્રેસનો વિરોધ

|

Nov 10, 2021 | 4:49 PM

રાજ્યના શિક્ષણ વિભાગના ઉપસચિવ બી.એસ.પરમારે રાજ્યની તમામ શિક્ષણ વિભાગ હસ્તકની સરકારી યુનિવર્સિટીના કુલપતિને સંબોધી 3 નવેમ્બરના રોજ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, સેનેટ, સિન્ડિકેટ કે અન્ય પદ માટેની નિમણૂંક સંબંધી પ્રક્રિયા હાથ ધરતા પહેલા સરકારનો પૂર્વ પરામર્શ કરવાનો રહેશે.

રાજ્ય સરકાર દ્રારા સરકાર હસ્તકની યુનિવર્સિટીઓમાં નિયંત્રણ મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી હતી,કોંગ્રેસના અગ્રણી અને સેનેટ સભ્ય રાજદિપસિંહ જાડેજા દ્વારા યુનિવર્સિટી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.કુલપતિ સમક્ષ પરિપત્ર ફાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારની મનમાની દર્શાવતો આ પરિપત્ર છે.યુનિવર્સિટીનું પોતાનું બંધારણ છે અને આ બંધારણ મુજબ કુલપતિ પોતાની રીતે નિર્ણયો લઇ શકે છે.જ્યારે સરકારના આ નિર્ણયથી કુલપતિ સરકારના રબ્બર સ્ટેમ્પ થઇ જશે ત્યારે વિધાર્થીઓના હિતમાં યુનિવર્સિટી આ પરિપત્રનો વિરોધ કરે અથવા તો કુલપતિ રાજીનામું આપે તેવી માંગ કરી હતી.

બીજી તરફ કુલપતિ દ્રારા સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો.અને કહ્યું કે સરકાર પાસેથી માર્ગદર્શન નહીં પણ માત્ર ચર્ચા કરવાની છે.આ નિર્ણયથી સરકાર અને યુનિવર્સિટી વચ્ચે સુમેળ થશે.કોઇ નિર્ણયમાં મુંઝવણ હોય તો સરકારનું માર્ગદર્શન મળી રહેશે.

રાજ્યના શિક્ષણ વિભાગના ઉપસચિવ બી.એસ.પરમારે રાજ્યની તમામ શિક્ષણ વિભાગ હસ્તકની સરકારી યુનિવર્સિટીના કુલપતિને સંબોધી 3 નવેમ્બરના રોજ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, સેનેટ, સિન્ડિકેટ કે અન્ય પદ માટેની નિમણૂંક સંબંધી પ્રક્રિયા હાથ ધરતા પહેલા સરકારનો પૂર્વ પરામર્શ કરવાનો રહેશે. સરકાર તરફથી મળતા અનુદાન સિવાય યુનિવર્સિટીના પોતાના કે અન્ય ભંડોળમાંથી પગાર ભથ્થાનો ખર્ચ અને કરાર આધારિત એડહોક ભરતીમાં સરકારની મંજૂરી લેવી. જોકે સરકારની પૂર્વ મંજૂરી મળી ગઈ હોય કે વિશેષ અંદાજપત્રિય જોગવાઈ કરવામાં આવી હોય અને વહીવટી મંજૂરી હોય તેવા કિસ્સામાં સરકારના પૂર્વ પરામર્શમાંથી મુક્તિ મળશે.

Next Video