RAJKOT : જેતપુરમાં ભાદરના પૂરના પાણી ઓસર્યા, પુલનું ધોવાણ થતા સ્થાનિકો પરેશાન

|

Oct 01, 2021 | 7:05 PM

દેરડીધાર નજીક ભાદર નદી પરનો બેઠો પૂલ પૂરના પાણીમાં ધોવાઇ ગયો છે. 2 દિવસ અગાઉ ભાદર-1 ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને પગલે ભાદર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી.

રાજકોટના જેતપુર પંથકમાં પૂરના પાણી ઓસરતા, નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દેરડીધાર નજીક ભાદર નદી પરનો બેઠો પૂલ પૂરના પાણીમાં ધોવાઇ ગયો છે. 2 દિવસ અગાઉ ભાદર-1 ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને પગલે ભાદર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. અને પૂરના પાણીએ આ પંથકમાં ભારે તારાજી સર્જી હતી. પૂલમાં વ્યાપક ધોવાણ થતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. મહત્વપૂર્ણ છે કે 12 ગામોને જોડતો બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સ્થાનિકોની ફરિયાદ છે પૂલ ઉંચો કરવા અનેકવાર રજૂઆતો કરવામાં આવી.પરંતુ આ રજૂઆતો તંત્રના બહેરા કાને નથી સંભળાતી.અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

નોંધનીય છેકે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ નોંધાયો હતો. અને, આ વરસે તો વરસાદે રેકોર્ડ સર્જ્યો હતો. ભારે વરસાદને કારણે ભાદર નદી ગાંડીતુર બની હતી. અને, ભાદરનદીના કાંઠા વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા હતા. ત્યારે હવે વરસાદે વિરામ લેતા ધીમેધીમે પુરના પાણી ઓસરી રહ્યાં છે. જેને પગલે તારાજીના દ્રશ્યો ધીમેધીમે સામે આવી રહ્યાં છે. જેમાં જેતપુર પંથકમાં ભાદર નદીના પાણીએ ભારે તારાજી સર્જી છે. અને, અનેક રસ્તાઓ અને ગામડાઓમાં નુકસાન થયું છે.

આ પણ વાંચો : શું તમને ખબર છે કે 3G કલમ લગાવવાથી એક વેલામાંથી 300 થી 400 દૂધીનો પાક થશે, જાણો કેવી રીતે શક્ય બનશે?

આ પણ વાંચો : કિસાન સંઘે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, ખેડૂતોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા કરી માંગ

Next Video