વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ લેશે મોરબીની મુલાકાત

મોરબીમાં સર્જાયેલી કરૂણાંતિકા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલે મોરબીની મુલાકાતે પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ બપોરે મોરબીની મુલાકાત લેવા માટે રવાના થશે. નોંધનીય છે કે હાલમાં વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ લેશે મોરબીની મુલાકાત
વડાપ્રધાન લેશે મોરબીની મુલાકાત
| Edited By: | Updated on: Oct 31, 2022 | 9:29 PM

મોરબીમાં સર્જાયેલી કરૂણાંતિકા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલે મોરબીની મુલાકાતે પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ બપોરે મોરબીની મુલાકાત લેવા માટે રવાના થશે.

 

 

 

 

નોંધનીય છે કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી  તારીખ 29  ઓક્ટોબરથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે તેમણે કેવડિયા  ખાતે સંબોધન  કરતા કહ્યું હતું કે  મારું મન મોરબી પીડિતોની સાથે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસમાં ભાગ લીધો. એકતા દિવસ પર તેમણે જણાવ્યુ હતુ કે, મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે મને ખૂબ દુખ છે. હું અહીં એકતા નગરમાં છું પણ મારું મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે. હું દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. વડાપ્રધાને જણાવ્યુ કે આજે રાષ્ટ્રીય એકતા દિવસ આપણને દુઃખની આ ઘડીમાં એક થવા અને આપણી ફરજના પથ પર રહેવા માટે શોક આપે છે.

નોંધનીય છે કે મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ઘણા લોકો હજુ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 130 થી વધુના મોત થયા છે, જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે. રેસ્ક્યુ અને બચાવ કામગીરી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે  આ ઘટના અંદે વાતચીત કરીને  તાત્કાલિક બચાવ કામગીરી અંગે તાકીદ કરી હતી.

તો બીજી તરફ  મોરબીમાં થયેલી દુર્ઘટનાને પગલે  વિવિધ રાજકીય નેતાઓનો જમાવડો થયો છે . કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા પણ હોસ્પિટલ પહોચ્યા હતા અને  ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી.

 

Published On - 1:25 pm, Mon, 31 October 22