ક્ષત્રિય સમાજના દીકરા અને દીકરીઓ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા જઈ રહ્યાં છે. 3 હજારથી વધુ દીકરા અને દીકરીઓ તલવાર રાસ રજૂ કરી વર્લ્ડ રેકોર્ડ રચશે. જેની તૈયારીઓ સુરેન્દ્રનગરમાં પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: VIDEO: કચ્છી ભાષાને જીવંત રાખનારા નારાયણ જોષીને મળશે પદ્મશ્રી એવોર્ડ
મહત્વનું છે કે આગામી 28 મી જાન્યુઆરીના રોજ રાજકોટના માધાતાસિંહજીના રાજ્યભિષેક પ્રસંગે ક્ષત્રિય સમાજની બહેનો અને ભાઈઓ તલવાર રાસ રજૂ કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે. જેની ખુશી ક્ષત્રિય સમાજની બહેનો રજુ કરી રહી છે. મહત્વનું છે કે રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ તેમના પુત્ર અને યુવરાજ માંધાતાસિંહ જાડેજા હવે રાજા બનશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેઓની રાજકોટ રાજ્ય પરિવારના 17માં રાજવી તરીકેની રાજતિલક વિધિ પૂરી આન, બાન અને શાનથી સંપન્ન થશે. અગાઉ ક્યારેય ન થયો હોય એવો રાજસૂય યજ્ઞ આ પ્રસંગે કરાશે. જેમાં 300 જેટલા બ્રાહ્મણો આહુતિ આપશે. જે પૂર્વે ક્ષત્રિય સમાજની દીકરીઓ અને દીકરાઓએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકડમાં સ્થાન બનાવવાની તૈયારીઓ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 12:23 pm, Sun, 26 January 20