Navsari : ડીઝલમાં બેફામ ભાવવધારાને પગલે માછીમારોની અચોક્કસ મુદતની હડતાળ

|

Jan 12, 2023 | 9:29 AM

1 હજાર ફિશિંગ બોટમાં અંદાજીત ડીઝલનો વપરાશ 30 હજાર કરોડ લીટરનો થાય છે. તેવામાં ડીઝલના ભાવ આસમાને પહોંચતા માછીમારોને બોટ ચલાવવી મુશ્કેલ બની છે. બીજી તરફ મચ્છીનો પણ ભાવ ઉંચો નહીં મળતા માછીમારોએ સરકાર પાસે સબસીડી આપવાની માગ કરી હતી

Navsari : ડીઝલમાં બેફામ ભાવવધારાને પગલે માછીમારોની અચોક્કસ મુદતની હડતાળ
માછીમારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર

Follow us on

માછીમારી માટે જતી બોટ ટ્રેલરોમાં વપરાતા ડીઝલમાં બેફામ ભાવવધારો થયો છે. ત્યારે માછીમારોએ ડીઝલના ભાવમાં ઘટાડાની માગ સાથે સેંકડો બોટ ધોલાઈ બંદરે લાંગરી દીધી હતી અને અચોક્કસ મુદતની  હડતાળ ઉપર ઉતરી ગયા હતા.  દરિયામાંથી માછીમારીનો ખર્ચ નહીં મળતા હાલના સમયમાં માછીમારોને ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે, તેવુ માછીમારોનું કહેવું છે.  1 હજાર ફિશિંગ બોટમાં અંદાજીત ડીઝલનો વપરાશ 30 હજાર કરોડ લીટરનો થાય છે. તેવામાં ડીઝલના ભાવ આસમાને પહોંચતા માછીમારોને બોટ ચલાવવી મુશ્કેલ બની છે. બીજી તરફ મચ્છીનો પણ ભાવ ઉંચો નહીં મળતા માછીમારોએ સરકાર પાસે સબસીડી આપવાની માગ કરી હતી.

માછીમાર વ્યવસ્થાપક સમિતિના જણાવ્યા મુજબ નવસારી અને વલસાડ જિલ્લાની 1000 ફિશિંગ બોટનો 9 મહિના દરમિયાન અંદાજિત ડીઝલનો વપરાશ 30 કરોડ લીટરનો છે. માછીમારોને સરકાર પેટ્રોલ પમ્પ પરથી જ સબસિડી આપે તેવી વર્ષોથી માગ કરી રહ્યા છે. જે પુરી નથી થઈ. કોરોના મહામારી, વારંવાર દરમિયામાં ઉઠતા તોફાનો જેવી કુદરતી આપત્તિને કારણે આર્થિક સંકટ વધી ગયુ હતુ. પરંતુ તેમને કોઈ સરકારી સહાય મળી નથી તો ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયામાંથી માછલી પણ સહેલાઈથી મળતી નથી. જેમાં માછીમારોને વધુ દરિયો ખુંદવો પડે છે. આટલી જહેમત બાદ કિનારે દરિયાઈ માલની ખરીદી કરનારા સપ્લાયરો તરફથી પોષણક્ષમ ભાવ મળતો નથી.

 

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

દેવભૂમિ દ્વારકાના  માછીમારોએ ડીઝલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો હતો પત્ર

દેવભૂમિ દ્વારકાના આર. કે. બંદર, ડાલડા બંદર ઉપર કામ કરતા 33 હજાર માછીમારોની રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે, કેમ કે ડીઝલના ભાવ તેમને બજાર ભાવ કરતાં 3.70 રૂપિયા વધારે ચુકવવા પડે છે, હવે આવું કેમ તે સવાલ ઉભો થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ગામ નજીક આવેલા આર. કે. બંદર, ડાલડા બંદર પર 33 હજાર માછીમાર રોજીરોટી મેળવી રહ્યા છે, પરંતુ હાલ તેમની ફિકર એ છે કે બોટમાં તેઓ જે પેટ્રોલ ભરાવે છે તેનો ભાવ 3 રૂપિયા 70 પૈસા વધારે ચુકવવો પડે છે, જ્યારે બજાર ભાવ સસ્તો છે, માછીમાર ભાઈઓની માગ છે કે તેમને માછીમારી માટે મુક્ત બજારમાંથી ડીઝલ મળી રહે, તે માટે તેમણે મુખ્યપ્રધાન સુધી લેખિત રજૂઆત કરી છે

2019માં 60 રૂપિયા લીટર ડીઝલની ખરીદી કરી માછીમારો માછીમારી કરતા હતા, પરંતુ હવે બોટ માલિકોને 100 રૂપિયા ડીઝલ પરવડતું નથી અને જો ખરીદી કરી દરિયામાં માછીમારી કરવા જાય તો કિનારા પર આવ્યા બાદ માછલીના યોગ્ય ભાવ મળતા નથી. ત્યારે સરકારને વર્ષોથી રજૂઆત કરતા કોઈ ઉકેલ ન આવતા હવે હજારો માછીમારોની રોજગારી છીનવાઈ રહી છે. ત્યારે આ જ માછીમારો સરકાર પાસે આશ રાખી બેઠા છે કે તંત્ર કયારે હવે આ અંગે અસરકાર પગલાં લેશે.

Next Article