નવસારીના દાંડીમાં યાયાવર પક્ષીઓની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો, વિદેશી પક્ષીઓ ઓછા થતા પક્ષી પ્રેમીઓ નિરાશ

|

Jan 22, 2023 | 1:50 PM

નવસારીથી (Navsari) આશરે 14 કિમી દૂર ઐતિહાસિક દાંડી પંથકમાં કકરાડ વિસ્તાર આવેલો છે. અહીંનો અંદાજે 11 ચોરસ કિમીથી વધુનો ખુલ્લો વિસ્તાર શિયાળાની ઋતુમાં એક સમયે પક્ષીઓ માટે સ્વર્ગ સમાન બની ગયો હતો.

નવસારીના દાંડીમાં યાયાવર પક્ષીઓની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો, વિદેશી પક્ષીઓ ઓછા થતા પક્ષી પ્રેમીઓ નિરાશ
દાંડીમાં યાયાવર પક્ષીઓની સંખ્યામાં ઘટાડો

Follow us on

નવસારીના દાંડીમાં દર વર્ષે આવતા યાયાવર પક્ષીઓની સંખ્યામાં 80 ટકા ઘટાડો થયો છે. શિયાળામાં દાંડીના કકરાડ વિસ્તારમાં દેશ-વિદેશથી 210 પ્રજાતિના 1 લાખથી વધુ પક્ષીઓ આવતા હતા. પરંતુ આ વર્ષે પાણીના સંગ્રહ અને ગ્લોબલ વોર્મિંગની અસરથી વિદેશી પક્ષીઓ ઓછા થતા પક્ષી પ્રેમીઓ નિરાશ થયા છે. ઝૂઓલોજીસ્ટનું કહેવું છે કે, કેટલાય સમયથી કકરાડ પંથકમાં ખાસ પાણી રહેતું નથી અને ખોરાક ન મળતા યાયાવર પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

15 વર્ષથી શિયાળામાં આવે છે વિદેશી પક્ષીઓ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી વિભાગમાં હજારોની સંખ્યામાં આવતા યાયાવર પક્ષીઓની સંખ્યામાં 80 ટકા ઘટાડો નોંધાતા પક્ષી પ્રેમીઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે. નવસારીથી આશરે 14 કિમી દૂર ઐતિહાસિક દાંડી પંથકમાં કકરાડ વિસ્તાર આવેલો છે.

અહીંનો અંદાજે 11 ચોરસ કિમીથી વધુનો ખુલ્લો વિસ્તાર શિયાળાની ઋતુમાં એક સમયે પક્ષીઓ માટે સ્વર્ગ સમાન બની ગયો હતો. આજથી 15 વર્ષ અગાઉ અહી શિયાળાની મોસમમાં 210 પ્રજાતિના 1 લાખથી વધુ પક્ષીઓ આવ્યાનું નોંધાયું હતું, જેમાં દેશી ઉપરાંત માઇગ્રેટેડ વિદેશી પક્ષીઓનો પણ સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ફ્લેમિંગો દેખાતા ઓછા થયા

તે સમયે આ વિસ્તાર શિયાળામાં પક્ષી અભ્યારણ બની ગયો હતો અને સરકાર લેવલે તેના વિકાસની પણ વાતો શરૂ થઈ ગઈ હતી. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. પક્ષીઓની સંખ્યા ઘટતી જ ગઈ છે અને ચાલુ વર્ષે 75 પ્રજાતિના 2 હજારથી ઓછી સંખ્યામાં પક્ષીઓની ગણતરી થઈ છે. મહત્ત્વની વાત એ છે કે, ભૂતકાળમાં જેને ગુજરાતનું રાજ્ય પક્ષી કહેવાય છે એ ફ્લેમિંગો હજારોની સંખ્યામાં આવતા હતા. તે તો જવલ્લે જ જોવા મળી રહ્યાં છે.

વર્ષોથી નવસારી જિલ્લાના દરિયાકિનારે મહેમાન બનીને આવતા પક્ષીઓ નવસારી જિલ્લાના પક્ષી પ્રેમીઓ માટે નવલું નજરાણું બન્યા હતા. જિલ્લાના જલાલપોર તાલુકાના સુલતાનપુર આટ દાંડી જેવા દરિયાકિનારાના ખાંજણ વિસ્તારમાં પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હતા અને એ વિસ્તારને બોર્ડ સેન્ચ્યુરી તરીકે વિકસાવવા માટે પણ વનવિભાગ દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.

પરંતુ પાણીનો સંગ્રહ અને વાતાવરણમાં અનિચ્છનીય ફેરફારોને કારણે આ વિદેશી મહેમાનોને આવતા બંધ કર્યા છે. જે નવસારી જિલ્લા માટે ચિંતાનો વિષય બની ગયો છે ત્યારે હવે ફરીથી આ મહેમાનોને કેવી રીતે બોલાવવા એ યક્ષ પ્રશ્ન બની ગયો છે.

Next Article