વડોદરાના નવલખી મેદાનમાં સગીરાને ઝાડીઓમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજારનારા બે નરાધમોને તપાસમાં જોતરાયેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ગુજરાત ATS સાથે વડોદરા ક્રાઈમ બ્રાંચ પણ દુષ્કર્મના આરોપીઓને ઝડપવા માટે આકાશ પાતળ એક કરી રહી હતી જે પછી આજે સ્કેચના આધારે બંન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નાણાકીય આયોજનો હાથ ધરવા માટે શુભ દિવસ
વડોદરામાં નવલખી તળાવ પાસે આ બંન્ને નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. જેથી આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી અને આરોપીઓના સ્કેચ તૈયાર કર્યા હતા. આમ છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યાં હતા ત્યારે આજે પોલીસને મોટી સફળતા હાથ લાગતા, હવે આરોપીઓ જેલનાં સળીયા પાછળ નાંખવામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો