Narmda: SOUમાં સફાઇ કર્મચારીનું સ્થાન મશીનોએ લીધુ, 150 આદિવાસી સ્થાનિકો બેરોજગાર બન્યા

|

Jun 01, 2022 | 6:49 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે સ્થાનિક આદિવાસીઓને રોજગારી મળશે તેવો દાવો કર્યો હતો. જો કે હવે તેમનો દાવો જાણે પોકળ સાબીત થઇ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે.

Narmda: SOUમાં સફાઇ કર્મચારીનું સ્થાન મશીનોએ લીધુ, 150 આદિવાસી સ્થાનિકો બેરોજગાર બન્યા
Statue of Unity (File Image)

Follow us on

નર્મદા (Narmada) જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) પ્રવાસન નિયમન સત્તામંડળે સફાઈ કોન્ટ્રાક્ટ બંધ કરી દેતા હવે 150 જેટલા સ્થાનિક સફાઇ કર્મીઓ અટવાઇ પડ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસન નિયમન સત્તામંડળે સફાઈ મશીન આવતા 150 સ્થાનિક લોકોને છુટા કરી દીધા છે. હવે વડોદરા મહાનગર પાલિકાને (Vadodara Municipal Corporation) માઉન્ટેડ આધુનિક રોડ સ્વિપર મશીન દ્વારા સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે સ્થાનિક આદિવાસીઓને રોજગારી મળશે તેવો દાવો કર્યો હતો. જો કે હવે તેમનો દાવો જાણે પોકળ સાબીત થઇ રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ સાફ સફાઈની કામગીરીનો કોન્ટ્રાક્ટ બી.વી.જી. કંપનીને આપવામાં આવ્યો હતો. જો કે વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ સાફ સફાઈ કરાવતી બી.વી.જી. કંપનીનો કોન્ટ્રાક્ટ બંધ કર્યો છે. જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેતા 150 જેટલા આદિવાસીઓ હવે બેરોજગાર બની ગયા છે.

માણસથી નહીં મશીનથી સાફ સફાઈ થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી વડોદરા મહાનગર પાલીકાને માઉન્ટેડ આધુનિક રોડ સ્વિપર મશીન દ્વારા સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, એટલે હવે માણસથી નહિ મશીનથી સાફ સફાઈ થશે. જો કે તેના કારણે અહીં રહેતા આદિવાસી લોકોની રોજગારી છીનવાઇ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

નર્મદા જિલ્લામાં SOUનું નિર્માણ થયા અહીં રોજગારી મળ્યા બાદ કેવડીયા, કોઠી, લીંબડી, વાગડીયા, નવાગામ, ગોરા ગામના 150 આદીવાસી પરિવારોનું ગુજરાન ચાલતુ હતું. જે તે સમયે એ 6 ગામના સરપંચોએ પોતાના લેટર પેડ પર જેમના નામ આપ્યા એ લોકોની જ બી.વી.જી. કંપનીમાં ભરતી કરવામાં આવી હતી. એસ.ઓ.યુ. આસપાસના વિસ્તારમાં જે લોકોના લારી ગલ્લા હટાવાયા એવા જ લોકો બી.વી.જી. કંપનીમાં કામ કરી રોજગારી મેળવી રહ્યા હતા. જો કે હવે ફરી તેમના માથે એની એ આફત આવીને ઉભી છે. હવે એસઓયુ સત્તા મંડળ એમને અન્ય કોઈક જગ્યાએ રોજગારી આપે છે કે કેમ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

Next Article