સુરેન્દ્રનગરના કોંગ્રેસના દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity)ની મુલાકાત લીધી હતી.ત્યારબાદ તેમણે સ્થળના વખાણ કર્યા હતા. તેમજ તેની સાથે ત્યાંના અધિકારીઓની પણ પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોઈ ગર્વનો અનુભવ થયો છે. તેમણે ઉમેર્યું હતું કે સરદાર સાહેબની 182 મીટરની પ્રતિમા હોવી એક ગૌરવ લેવા જેવી બાબત છે. જેમણે દેશને અખંડિત રાખ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નર્મદા ડેમનો પાયો મૂકનાર દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો આ સ્થળે એક ફોટો હોવો જોઇએ.
આ પણ વાંચો : આંગણામાં સૂકવેલા કપડા બન્યા ઓસામા બિન લાદેનનો ‘કાળ’! જાણો CIAએ કેવી રીતે દુનિયાનો સૌથી ખતરનાક આતંકવાદી શોધી કાઢ્યો
આ પણ વાંચો : Fitness Tips: જો તમે પણ બેસીને દૂધ પીતા હોવ તો બદલી દો આ આદત, જાણો 8 નિયમો
Published On - 5:58 pm, Mon, 2 August 21