Railway news: અમદાવાદ-મહેસાણાથી આવતી જતી 14 ટ્રેન 21 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે, જાણો સમગ્ર વિગત

|

Feb 07, 2023 | 8:43 AM

ડબલ ટ્રેકની કામગીરીને કારણે કેટલીક ટ્રેન 21 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે. જેને પગલે આ રૂટ પર આવતી-જતી 14 ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં અમદાવાદ આવતી-જતી 8 ટ્રેનોનો સમાવેશ થાય છે. સાબરમતી-મહેસાણા સહિત સાબરમતી-જોધપુર, મહેસાણા-વિરમગામ સહિતની ટ્રેનો રદ કરવામાં આવી છે. 

Railway news: અમદાવાદ-મહેસાણાથી આવતી જતી 14 ટ્રેન 21 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે, જાણો સમગ્ર વિગત
ભારતીય રેલવે

Follow us on

Western railway news : પશ્ચિમ રેલવે દ્વારા જગુદણ-મહેસાણા વચ્ચે ડબલ ટ્રેકની કામગીરીને કારણે કેટલીક ટ્રેન 21 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે. જેને પગલે આ રૂટ પર આવતી-જતી 14 ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં અમદાવાદ આવતી-જતી 8 ટ્રેનોનો સમાવેશ થાય છે. સાબરમતી-મહેસાણા સહિત સાબરમતી-જોધપુર, મહેસાણા-વિરમગામ સહિતની ટ્રેનો રદ કરવામાં આવી છે.  આ સિવાયની અન્ય ટ્રેનની વિગતો આ પ્રમાણે છે.   પશ્ચિમ રેલવે  આપેેલી વિગતો ઉપરાંત ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

 

આટલી  ટ્રેન કરવામાં આવી છે રદ 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
  • સાબરમતી-મહેસાણા
  • મહેસાણા-સાબરમતી
  • વિરમગામ-મહેસાણા
  • મહેસાણા-વિરમગામ
  • સાબરમતી-પાટણ
  • પાટણ-સાબરમતી
  • જોધપુર-સાબરમતી
  • સાબરમતી-જોધપુર

વિરમગામ સ્ટેશન ઉપર ઉભી રહેતી રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસના સમયમાં થયો છે ફેરફાર

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનોના વિરમગામ સ્ટેશન ઉપર આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક પરિવર્તન કરવામાં આવ્યું છે. જેની વિગતો આ પ્રકારે છે.

રાજકોટ સિંકદરાબાદ એક્સપ્રેસના સમયમાં ફેરફાર

• ટ્રેન નંબર 22717 રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસનો તારીખ 06.02.2023 થી, ટ્રેન નંબર 16613 રાજકોટ કોયંબતૂર એક્સપ્રેસ ટ્રેનનો તારીખ 05.02.2023 થી, ટ્રેન નંબર 19202 પોરબંદર સિકંદરાબાદ એક્સપ્રેસનો તારીખ 07.02.2023 થી  બદલાશે.

તેમજ ટ્રેન નંબર 19568 ઓખા તૂતીકોરિન એક્સપ્રેસનો તારીખ 10.02.2023 થી વિરમગામ સ્ટેશન ઉપર આગમન-પ્રસ્થાનનો સમય 08.16/08.18 કલાક ને બદલે 08.06/08.08 કલાકનો રહેશે.

• ટ્રેન નંબર 16333 વેરાવળ તિરૂવંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસનો તારીખ 09.02.2023 થી, ટ્રેન નંબર 16337 ઓખા એર્નાકુલમ એક્સપ્રેસનો તારીખ 06.02.2023 થી તેમજ ટ્રેન નંબર 16335 ગાંધીધામ નાગરકોઈલ એક્સપ્રેસનો તારીખ 10.02.2023 થી વિરમગામ સ્ટેશન ઉપર આગમન-પ્રસ્થાનનો સમય 14.05/14.07 કલાક ને બદલે 13.55/13.57 કલાકનો રહેશે.

Next Article