Mehsana: બેચરાજીમાં રંગેચંગે 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, આન, બાન, શાન સાથે સહકાર મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવી ઉજવણી

|

Aug 15, 2022 | 8:08 PM

Mehsana: બેચરાજીમાં રંગેચંગે 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. જેમા આન, બાન, શાન સાથે સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્માએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી.

Mehsana: બેચરાજીમાં રંગેચંગે 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, આન, બાન, શાન સાથે સહકાર મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવી ઉજવણી
સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્મા

Follow us on

મહેસાણા (Mahesana) જિલ્લાના બેચરાજીમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી જગદિશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma)એ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ દરમિયાન વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યુ હતુ. ધ્વજવંદન બાદ સહકાર મંત્રીએ પરેડ નિરીક્ષણ કરી નાગરિકોનુ અભિવાદન જીલ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી જગદિશ વિશ્વકર્માએ જણાવ્યુ હતુ કે દેશના વડાપ્રધાને શરૂ કરાવેલા હર ઘર તિરંગા(Har Ghar Tiranga) અભિયાનને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. તેમણે જણાવ્યુ કે દેશના ગરીબ, વંચિત, નબળા વર્ગના લોકોની ચિંતા કરાઈ રહી છે. એટલુ જ નહીં પરંતુ વડાપ્રધાનની વિકાસ નીતિ અને ગરીબોની કલ્યાણકારી નીતિ એમ દરેક નીતિના મીઠા ફળ રાષ્ટ્રને મળ્યા છે.

નરેન્દ્ર મોદીના વિઝનને કારણે ગુજરાત અગ્રગણ્ય રાજ્ય બન્યુ: જગદિશ વિશ્વકર્મા

સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યુ કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે અભૂતપૂર્વ પ્રગતિ કરી રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે. જેના પગલે ગુજરાત સમગ્ર દેશનું અગ્રગણ્ય રાજ્ય બન્યુ છે. ગુજરાત નરેન્દ્ર મોદીએ આપેલ વિકાસની દિશાના પથ પર નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યુ છે. રાજ્ય સરકારે છેવાડાના માનવી, ગરીબ, પીડિત, વંચિત, શોષિત તમામ વર્ગના લોકોની ચિંતા કરી તેમની સમસ્યાનુ સમાધાન થાય તે દિશામાં કાર્ય કરી રહ્યા છે.

આ પ્રસંગે ઉધોગ મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ ઉમેર્યું હતુ કે શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, ખેતી, ગ્રામિણ વિકાસ, ઉધોગો સહિત વિવિઘ ક્ષેત્રે ગુજરાત વિકાસનો આધાર બન્યુ છે. કોરોના સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કોરોના સામેના જંગમાં જીત મેળવી છે. 10 કરોડથી વધુના વેક્સિન ડોઝ આપીને ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે. આ ઉપરાંત એર એમ્બ્યુલન્સ શરૂ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યુ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સહકાર મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં વાવણીથી વેચાણ સુધી સરકાર ધરતીપુત્રોની પડખે ઉભી છે. ખેડૂતોની જમીન વધુ ફળદ્રુપ બને અને રાસાયણિક ખાતરોથી જમીનને થતા નુકસાનને અટકાવવા નક્કર કાર્ય સરકારે આરંભ્યું છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. ડાંગ જિલ્લાને 100 ટકા પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.

બેચરાજીમાં આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં સાંસદ શારદાબેન પટેલ, કલેક્ટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર, પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, અગ્રણી જશુભાઈ પટેલ, મયંકભાઈ નાયક, ભગાજી ઠાકોર, પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ, સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદનના કાર્યક્રમ બાદ મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.

ઈનપુટ ક્રેડિટ- મનિષ મિસ્ત્રી, મહેસાણા

Next Article