કોરાનાને નાથવા તંત્ર સતત કામ કરી રહ્યું છે ત્યારે જામનગરમાં આજથી આરોગ્ય ટીમ દ્વારા શાકભાજીના વેપારીઓ તેમજ લારીવાળાઓના આરોગ્યની ચકાસણી શરૂ કરવામાં આવી છે. રાજયમાં અનેક શાકભાજીના વેપારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેને લઈ જામનગરમાં આરોગ્યની ટીમ દ્વારા સાવચેતીના ભાગરૂપ શાકભાજીવાળાઓની ચકાસણી શરૂ કરાઈ છે. સાથે જ શાકભાજી વેચતા વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક પહેરવા સુચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગોવા બાદ હવે આ રાજ્યના લોકોએ કોરોનાને હરાવ્યો, એકપણ પોઝિટિવ કેસ નહીં!
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો