જૂનાગઢના જંગલ વિસ્તારમાં માલધારી સમાજને પશુઓ ચરાવવા માટે પરેશાની થઈ રહી છે. વન વિભાગે વર્ષોથી રહેતા માલધારીઓને પણ મંજૂરી ન આપતા રોષ ફેલાયો છે. કોંગ્રેસ અને માલધારી સમાજના આગેવાનોએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. પશુઓને ચરાવવા માટે માલધારીઓને મળેલી અનામત વીરડીમાં વન વિભાગે ગેરકાયદે દબાણ કર્યાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસ આગેવાનોએ વન વિભાગ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ માગણી કરી છે. આ વીરડીઓમાં માલધારીઓને પશુ ચરાવવાની તાત્કાલિક મંજૂરી મળે તેવી માગણી પણ કરી.