માફી માગે તેવી માગણી કરી છે. બીજી તરફ સાધુ સંત મોરારિ બાપુના સમર્થનમાં આવી ગયા છે. ત્યારે કાર્તિદાન ગઢવી પણ મોરારિ બાપુના સમર્થન આવી ગયા છે. તેમણે કહ્યું કે, મોરારિ બાપુના નિવેદનને લઈને હાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે. જે તમામ લોકો માટે એક શરમજનક ઘટના છે.
બાપુને કોઈ ધર્મ સાથે વાંધો વિરોધ નથી. કોઈ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિ પ્રત્યે કે કોઈની લાગણી દુભાય એવું નિવેદન બાપુ ક્યારેય કરતા નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક ધાર્મિક કાર્યક્રમ મોરારિબાપુ હાજરી આપતા હોય છે. તેમણે અપીલ પણ કરી કે ત્યારે નાના મુદ્દાને વધારવાનો પ્રયાસ ન કરવો જોઈએ. બધા સંપ્રદાયે એક થઈને આગળ વધવું જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ખોટા નિવેદન કરીને હિંદુ ધર્મને ઠેસ ન પહોંચાડવી જોઈએ. જો કે હવે આ મામલે એક પછી એક સંતોનાં નિવેદનો આવી રહ્યાં છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે આ વિવાદનો અંત ક્યારે આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો