KUTCH : હમિરસર તળાવમાં ગટરના ગંદા પાણી ભળ્યા, પાલિકાની નિષ્કાળજી મામલે સ્થાનિકોમાં રોષ

|

Oct 02, 2021 | 7:15 PM

હમિરસર તળાવમાં પણ વરસાદી પાણીની આવક સહિત ગટરના પાણી આવતા લોકોમાં રોષ છે. તાજેતરમાંજ પણ વરસાદની આવ સાથે ગટરનું પાણી હમિરસર તળાવમાં આવ્યુ હતુ.

KUTCH : હમિરસર તળાવમાં ગટરના ગંદા પાણી ભળ્યા, પાલિકાની નિષ્કાળજી મામલે સ્થાનિકોમાં રોષ
KUTCH: Sewage effluent found in Hamirsar lake, locals angry over municipal negligence

Follow us on

ભુજના દેસલસર તળાવની જેમ હવે હમિરસર તળાવમાં પણ ગટરના ગંદા પાણી આવી રહ્યુ છે. પાલિકાએ તાત્કાલીક માનવસર્જીત ભુલ માટે 8 લોકોની બદલી કરી નાંખી છે. પરંતુ 3 વર્ષમાં અનેકવાર ગટરના ગંદા પાણી તળાવમા આવતા લોકોમાં રોષ છે. અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.

ભુજના બે તળાવોનુ વર્ષો પહેલા ખુબ મહત્વ હતુ. જોકે સમયાંતરે દેસલસર તળાવમાં ગટરના પાણી ભળતા જળકુંભી ઉગી નિકળી છે. જે સમસ્યાનો ઉકેલ હજી વર્ષો પછી પણ આવી શક્યો નથી. ત્યાં હવે હમિરસર તળાવમાં પણ વરસાદી પાણીની આવક સહિત ગટરના પાણી આવતા લોકોમાં રોષ છે. તાજેતરમાંજ પણ વરસાદની આવ સાથે ગટરનું પાણી હમિરસર તળાવમાં આવ્યુ હતુ. જોકે ગટર નિયોજન વિભાગ સહિત જે લોકોની આ ભુલ હતી તેની સામે પાલિકાએ કાર્યાવાહી કરી છે. અને સાથે લોકોની લાગણી સાથે જોડાયેલ તળાવમાં ભવિષ્યમાં ગટરના પાણી નહી ભળે તે માટેનો દોવો કર્યો છે.

જોકે પાલિકાએ દાવો કર્યો છે પરંતુ 3 વર્ષમાં અનેકવાર એવુ થયુ કે હમિરસર તળાવમાં ગટરના પાણી આવ્યા ભુજના આ તળાવનુ શહેરીજનો માટે અનેરૂ મહત્વ છે. અને તેથીજ પાણી આવતા અનેક લોકો નિહાળવા માટે તળાવ કિનારે આવે છે. તો કચ્છ બહાર વસ્તા લોકો પણ હમિરસર તળાવ ભરાવાની રાહ જોતા હોય છે. ત્યારે તળાવના ઐતિહાસીક મહત્વને ધ્યાને રાખી ગટરના પાણી ન ભળવા સાથે તેની યોગ્ય જાળવણીની માંગ સાથે શહેરીજનો દેસલસર તળાવ જેવી સ્થિતી હમિરસરની ન થાય તેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

400થી વધુ વર્ષ પહેલા આ તળાવની સ્થાપના કરાઇ હતી. અને તળાવ ધાર્મીક આસ્થા તથા લાગણી સાથે શહેરીજનોના જોડાયેલુ છે. ત્યારે દેસલસર તળાવની જેમ હમિરસરમાં પણ ગટરના પાણીથી તળાવની શોભા ન જોખમાય તેવી ચિંતા શહેરીજનોમાં છે. પાલિકાએ કાર્યવાહી કરી પરંતુ માનવસર્જીત સમસ્યાથી 3 વર્ષમાં અનેકવાર ગટરના પાણી તળાવમાં આવ્યા તે વાસ્તવિક્તા છે.

આ પણ વાંચો : શિક્ષણ મંત્રીનો મોટો નિર્ણય, આ વર્ષે આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે પીએચડી ફરજિયાત નથી, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો : એર માર્શલ વિક્રમ સિંહને વેસ્ટર્ન એર કમાન્ડના વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસર તરીકે નિયુક્તિ, એર માર્શલ ઘોટીયાએ SWACKનો હવાલો સંભાળ્યો

Published On - 7:08 pm, Sat, 2 October 21

Next Article