Kheda : વડતાલ સ્વામિનારાયણ મંદિરના પાર્ષદ દ્વારા સગીરા પર દુષ્કર્મની ફરિયાદ, પોલીસે તપાસ શરૂ કરી

|

Sep 04, 2021 | 10:25 PM

સોહમ ભગત નામના પાર્ષદે દૂષ્કર્મનું હિચકારૂં કૃત્ય આચર્યું છે. સગીરા તેના માતા-પિતા સાથે મંદિરે દર્શન માટે આવતી ત્યારે આરોપીના પરિચયમાં આવી હતી.

ખેડાના વડતાલ(Vadtal) સ્વામિનારાયણ મંદિરના પાર્ષદે સગીરા પર દૂષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સોહમ ભગત નામના પાર્ષદે દૂષ્કર્મનું હિચકારૂં કૃત્ય આચર્યું છે. સગીરા તેના માતા-પિતા સાથે મંદિરે દર્શન માટે આવતી ત્યારે આરોપીના પરિચયમાં આવી હતી. સગીરાને ફરવા લઈ જવાના બહાને રાવલી રોડ પર અવાવરું જગ્યા પર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટનાના પગલે ચકલાસી પોલીસે ફરિયાદ બાદ આરોપીની કરી ધરપકડ કરી છે. તેમજ મેડિકલ ટેસ્ટ માટે આરોપીને હોસ્પિટલ લઈ જવાયો છે.

આ ઘટનામાં ભોગ બનનાર સગીરા માતા પિતા સાથે દર્શન માટે અવાર નવાર મંદિરે આવતી હતી. મંદિરના સંચાલકોને ઘટના અંગે જાણ થતા તત્કાલ તેને ઝડપી લીધો હતો.  તેમજ પોલીસને બોલાવીને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Kutch : વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ, સહાય ચૂકવવા સરકાર પાસે માંગ

આ પણ વાંચો : Bharuch : વેલસ્પન કંપનીના કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બન્યું, 70 ગામના સરપંચોએ સમર્થન આપ્યું

Published On - 10:06 pm, Sat, 4 September 21

Next Video