મહેમદાવાદ તાલુકાના વરસોલા GIDC વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ પેપર મીલમાં રવિવાર બપોરે અચાનક આગ લાગવાની ઘટના બની. મીલના બહારના વિસ્તારમાં પડેલા પેપરના પુંઠા અને રો-મટિરિયલ્સમાં આગ લાગી હતી, જે થોડી જ ક્ષણોમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી ગઈ.
આગ લાગી ત્યારથી લગભગ 4 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આગ કાબૂમાં આવી નથી. નડિયાદ, આણંદ, અમદાવાદ, મહેમદાવાદ અને ખેડા સહિત 5 શહેરોની ફાયર ટીમો સતત પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.
પ્રશાસન અને પોલીસની ટીમો ઘટનાસ્થળે હાજર
વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.
આગ કાબૂમાં ન આવતાં આણંદ અને વિદ્યાનગરની ફાયર ટીમોને પણ બોલાવવામાં આવી
સ્થાનિક લોકોએ જણાવ્યું કે જો પ્રારંભિક તબક્કામાં જ આગ કાબૂમાં લીધી હોત તો એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી હોત નહીં.
વરસોલા ગામના સરપંચ મહેબુબભાઈ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમની જાણકારી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં આગ આકસ્મિક કારણોસર લાગ્યાનું અનુમાન છે, પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.
આગના કારણે પેપર મીલમાં મોટાપાયે રો-મટીરીયલ સળગી ખાખ થઈ ગયું છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારોમાં દહેશતનો માહોલ પેદા કર્યો છે. તંત્ર દ્વારા આગના કારણોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
Published On - 10:33 pm, Sun, 23 March 25